________________
'૧૪૦
જૈન આચાર મીમાંસા તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. પરિણામે કેટલાક રોગોનાં ચિહ્નો દેખાવા લાગે છે. અને જો તેનાથી પણ આપણે ચેતી ન જઈએ તો પછી રોગો ઘર ઘાલી જાય છે. અને પછી તેમને નાથવા મુશ્કેલ થઈ પડે છે. પાછળથી આ રોગો ઘાતક સ્વરૂપ ધારણ કરે છે. આવા રોગોને લીધે આપણી કાર્યક્ષમતા ઘટી જાય છે. થોડી થોડી વારે થાક લાગે છે અને આળસ તેમજ અકર્મણ્યતા વધતાં જાય છે. સ્વસ્થ રીતે વિચાર કરવાની આપણી શકિત ઘટતી જાય છે અને આપણો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. ઉત્સાહનો ભંગ થાય છે. અને નિરાશા વધતી જાય છે અને તેનાં નિવારણ માટે આપણે કેફી દવાઓ લેતા જઈએ છીએ જે તાત્કાલિક રાહત આપીને રોગને વકરાવતી જ હોય છે. આમ એક વિષચક્ર ઊભું થાય છે અને આપણે તેમાં ફસાતા જ જઈએ છીએ.
આ વિષચક્રને તોડવાનો સરળ અને બિલકુલ નિર્દોષ તેમજ કુદરતી ઈલાજ છે કાયોત્સર્ગ-કાઉસ્સગ્ગ. કાયોત્સર્ગ દરમિયાન આપણે શરીરનું સંપૂર્ણ શિથિલીકરણ કરીએ છીએ તેથી સ્નાયુઓ, માંસપેશીઓ ઇત્યાદિ શિથિલ થતાં જાય છે. સંપૂર્ણ કાયોત્સર્ગ સધાય તો શરીરના અવયવો કે સ્નાયુઓ તો શું પણ શરીરની એકેક કોશિકા શિથિલ - રિલેક્સ થઈ ગઈ હોય છે. પરિણામે શરીરનું સમગ્ર વ્યવસ્થાતંત્ર શાંત થઈ જાય છે. શરીર શિથિલ મન શાંત, આવેગો અને ઉછાળાઓનું શમન એટલે કાયોત્સર્ગની શારીરિક કે ભૌતિક ભૂમિકા સધાઈ. આ સધાતાં જ તન અને મન બંને તનાવથી મુક્ત થઈ જાય છે. પરિણામે સ્વસ્થતાનું ચક્ર ગતિમાન થાય છે. આપણા વ્યવસાયશીલ અને તાણોથી ભરપૂર જીવનમાં જે