________________
૧૩૮
જૈન આચાર મીમાંસા તાણમાંથી મુક્તિ
ભલે અધ્યાત્મ તરફ કોઈનું વલણ ન હોય તો પણ શારીરિક અને માનસિક તાણમાંથી મુક્ત થવા માટેના ઉપાય તરીકે તો કાયોત્સર્ગનું મહત્ત્વ સ્વીકારવું જ રહ્યું. આજે તો એ વાત સર્વમાન્ય છે કે આપણા મોટા ભાગના રોગોનું ઉગમસ્થાન માનિસક તાણ છે. શરીરની તાણ - થાક મટાડવો સહેલો છે. ફક્ત બાહ્ય કારણોને લીધે શરીરમાં જે રોગોએ દેખા દીધો હોય છે તેમને મટાડવા પણ હજુ સહેલા છે. પણ માનિસક તણાવમાંથી ઉદ્ભવેલા રોગો અનેક ઉપાયો કે ઇલાજો કરવા છતાંય મટતા નથી. માનસિક તાણમાંથી પેદા થતા રોગોનો પરિવાર, આપણને કલ્પના પણ ન આવે એટલો મોટો છે. હૃદયરોગ, બ્લડપ્રેશર, પેપ્ટિક અલ્સર, નર્વસ બ્રેક ડાઉન, મંદ પાચન શકિત, અનિદ્રા આ બધાય રોગો આપણા આજના તાણગ્રસ્ત જીવનની દેન છે.
શહેરીરાગ અને બદલાયેલી આપણી જીવનવ્યવસ્થાને લીધે આપણે હવે સતત ટેન્શનમાં જીવીએ છીએ. હંમેશાં આપણને ઉતાવળ અને અધીરાઈ હોય છે. ઘરમાં, ઓફિસમાં, શાળામાં, નોકરીમાં, ધંધામાં બધે જ એવું વાતાવરણ હોય છે કે આપણે સતત ટેન્શન હેઠળ જ જીવવું પડે. આ ટેન્શન એટલું તો સહજ થઈ ગયું છે કે આપણને ખબર પણ પડતી નથી કે આપણે ઊઠ્યા ત્યારથી સૂઈએ ત્યાં સુધી સતત એક પ્રકારના ટેન્શનમાં જ રહીએ છીએ અને પરિણામે આપણે અનેક રોગોના ભોગ બનીએ છીએ. આ રોગોમાંથી શાંતિ મેળવવા આપણે જાતજાતની દર્દશામક દવાઓ લેવી પડે છે. અને ઘણા