________________
કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
૧૪૭ અન્યને અસર કરે છે અને અન્યનાં પ્રકંપનો આપણને અસર કરે છે. આમ ક્રિયા અને પ્રતિક્રિયાનું ચક્ર ચાલ્યા જ કરે છે. આ ચક્રમાં આપણે એવા તો અટવાઈ ગયા છીએ કે આપણને ખ્યાલ પણ નથી આવતો કે આપણે વિષચક્રના એક આરાથી વિશેષ કંઈ નથી,
જ્યારે કાયોત્સર્ગ સાધવા બેસીએ છીએ ત્યારે જ ખ્યાલ આવે છે કે આપણું જીવન સતત ઘૂમતા એક ચક્રથી કંઈ વિશેષ નથી રહ્યું.
જે ચાર તત્ત્વો દ્વારા આપણો સંસાર પ્રવર્તમાન થાય છે એમાં કાયા સ્થળ છે. વાણી તેનાથી થોડીક સૂક્ષ્મ છે. શ્વાસ સૂક્ષ્મતર છે અને મન સૂક્ષ્મતમ છે. સામાન્ય રીતે આપણે મનના સ્તર સુધી જ વિહરતા હોઈએ છીએ પણ એનીય પારથી આવી જે પ્રવાહ સતત આપણી અંદર વહ્યા કરે છે તેનાથી તો આપણે અજ્ઞાત રહીએ છીએ. આ પ્રવાહનું ઉગમસ્થાન આપણી ચેતનાની ખૂબ નજીક રહેલું તેની સાથે ઓતપ્રોત થઈ ગયેલું કર્મશરીર છે. જે લોકોને ચેતનાના સ્વીકાર સામે વાંધો હોય તેઓ તેને અવ્યક્ત મનને નામે પણ ઓળખે છે, વાસ્તવિકતામાં મન એ તો ચેતનાનો જ આવિર્ભાવ છે. જેને આપણે જાણીએ - અનુભવીએ તો વ્યકત મન અને જે આપણાથી અજ્ઞાત રહે છે તે અવ્યક્ત મન. આપણે જો સમતા સાધવી હોય તો કે સ્વસ્થતા પ્રાપ્ત કરવી હોય કે પછી સંસાર ફાવવો હોય તો આપણે જીવન અને સંસારને પ્રવર્તમાન કરતો પ્રવાહ જ્યાંથી આવે છે તે ઉગમસ્થાન સુધી પહોંચવું પડશે. અને તે માટે કાયોત્સર્ગ જેવું કોઈ ઉપકારક કે અનુકૂળ નથી. એક વખત આપણે પ્રકંપનોના ઉગમસ્થાનને જોઈ લઈએ, ત્યાં પહોંચી શકીએ તો પછી આપણે એ પ્રકંપનોને અલ્પ કરી શકીએ, તેની