________________
૧૬૦
જૈન આચાર મીમાંસા કરતાં કરતાં જીવ વીતરાગતા તરફ જતો જાય છે અને આત્માની પરમાત્મપદ પ્રતિની ઉત્ક્રાંતિમાં આગળ વધતો જાય છે. દુષ્કત ગહ વિનાનો બધો ધર્મ ધૂળ ઉપર લીંપણ જેવો છે.
સુકૃત અનુમોદના:
જ્યાં જ્યાં સુકત જોવામાં આવે – સારી વાત જોવામાં આવે તેની હૃદયપૂર્વક પ્રશંસા તે સુકૃત અનુમોદનામાં આવે. આપણાં સુકૃત તો ઘણાં અલ્પ એટલે આપણે આગળ ઉપર થઈ ગયેલા મહાત્માઓનાં સુકૃતને યાદ કરીને તેની અનુમોદના કરવી. અનુમોદના માટેની પૂર્વશરત તો બને ત્યાં સુધી એવું સકૃત્ય જાતે કરવાની વાત છે. અને જો તે ન થઈ શકે તો જ તેવા સુકૃતની ભાવપૂર્વક પ્રશંસા કરવાની વાત આવે. જે સકૃત્યની અનુમોદના કરીએ તે કરવાનો કે કરાવવાનો ભાવ આવ્યા વિના રહે નહીં. અને જો તેમ ન થાય તો સમજવાનું કે આપણી અનુમોદના કેવળ ઔપચારિક છે જેનું ખાસ ફળ નહીં મળે. આપણી મોટા ભાગની સુકૃત અનુમોદના શાબ્દિક જ હોય છે અને અંદરથી તો આપણે કોરા ને કોરા જ હોઈએ છીએ. સકૃત્યોની અનુમોદના કરનાર સવૃત્તિવાળો થઈ, સારી પ્રવૃત્તિ કર્યા વિના રહે નહીં. સુકૃતની અનુમોદના પ્રવૃત્તિધર્મનાં દ્વાર ખોલી આપનાર છે.
ચાર શરણ :
ચાર શરણમાં સૌ પ્રથમ અરિહંતના શરણના સ્વીકારની વાત આવે છે. અરિહંત વ્યકિતવિશેષ ખરા પણ તત્ત્વના માર્ગ ઉપર