Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 171
________________ ૫ શરણ – સાધનાનું અંતિમ ચરણ અફાટ એવા મહાસાગરને કિનારે ઊભો રહેલ કોઈ માણસ સાગર તરીને પાર ઊતરી જવાનું વિચારે તો આપણને તેને પક્ષ પૂછવાનું મન થાય કે તારી પાસે તે માટે સાધન શું છે? કોના આધારે તું ઘૂઘવતા સાગરને પાર કરી જવાની હૈયામાં હામ રાખે છે? આવી જ પરિસ્થિતિમાં આપણે સંસાર સાગરને કિનારે ઊભા રહેલા છીએ અને આપણે સાગર તરીને પાર ઊતરી જવું છે, પણ તે માટે આપણી પાસે સાધનો કયાં છે? આ સાધનો છેઃ પંચાચાર, છ આવશ્યક, બાર વ્રતો, કાયોત્સર્ગ અને શરણ. આ સાધનો ભલે નાનાં દેખાય પણ આખો ભવસાગર પાર ઉતારવાની તેમનામાં ક્ષમતા છે. આટલા આચારોનું પાલન કરવું મુશ્કેલ નથી. છતાંય તે પણ ન થઈ શકે તેમ હોય તો મહામનીષીઓએ એક ટૂંકામાં ટૂંકો માર્ગ બતાવ્યો તે છે દુષ્કૃત ગહ, સુકૃત અનુમોદના અને ચાર શરણનો. આવશ્યક ક્રિયાઓ કે આચારોના વિકલ્પમાં આ માર્ગ નથી. વાસ્તવિકતામાં તો તે સાધનાના અંતિમ ચરણમાં કરવાનું એક આવશ્યક જ છે. જે બાળજીવો હોય કે હજુ પ્રમાદમાં રહેલા હોય તેઓ આટલું કરતા રહે તો પણ કયારેક તેમના હાથમાં સાધનાનો રાજપથ આવી જાય જે પકડીને તેઓ અંતિમ લક્ષ્ય સુધી પહોંચી ૧૫૮

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178