Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 172
________________ શરણ – સાધનાનું અંતિમ ચરણ ૧૫૯ જઈ શકે. આમ જોઈએ તો દુષ્કત ગહ, સુકૃત અનુમોદના અને ચાર શરણની વાત સામાન્ય લાગે છે, પણ તેનામાં અનર્ગળ તાકાત રહેલી છે. એક વખત કર્મ વિવર આપે પછી તો જીવની સમક્ષ આગળનો માર્ગ પણ થઈ જાય છે. વળી આ ક્રિયા ચિત્તના સંકલેશને દૂર કરીને સદ્ય શક્તિ આપનાર છે. જો આ સાધના નિયમીત કરવામાં આવે તો તે સદ્ગતિનો માર્ગ મોકળો કરી આપે તેવી છે. દુકૃત ગોંઃ ગહ એટલે નિંદા. પોતે કરેલાં પાપો કે અયોગ્ય કામોની નિંદા કરવાની અને તે માટે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરવાનો અને તે પણ કોઈ ગીતાર્થ મુનિની પાસે થાય તો ઉત્તમ ગણાય. કબૂલાત કંઈ એમ ને એમ નથી થતી. કબૂલાત એક પ્રકારના સત્ત્વની અપેક્ષા રાખે છે. વળી તે પહેલાં આપણે ખોટાનો ખોટા તરીકે સ્વીકાર કરીએ છીએ તે પણ કંઈ ઓછી વાત નથી. ગહમાં આમ દુષ્કૃત્યનો સ્વીકાર, કબૂલાત અને પશ્ચાત્તાપ આટલી વાત સમાયેલી છે. જે આટલે સુધી તૈયાર થઈ ગયો હોય તે ફરીથી તે પાપ કે ખોટું કામ નહીં કરે અને જો કરશે તો તેટલા રસથી નહીં કરી શકે. અઢારેય પાપસ્થાનકો દુષ્કૃત્યનું ઉગમસ્થાન છે. દુષ્કૃત્યનો સાચા દિલથી પશ્ચાત્તાપ કરવાથી કર્મ પાતળાં પડે છે અને તેનો અનુબંધ ઢીલો પડે છે. દુષ્કૃત ગહથી કર્મોની અદ્ભુત નિર્જરા થાય છે - આત્મા ઉપરથી કર્મો ખરી જાય છે. એક રીતે આ નિવૃત્તિધર્મ છે. રાગ અને દ્વેષ પણ વાસ્તવિકતામાં દુષ્કત જ ગણાય. દુષ્કત ગર્ભા

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178