Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 170
________________ કાયોત્સર્ગ વૈજ્ઞાનિક અભિગમ શાંત, સ્વસ્થ અને ભયવિહોણું સ્થિર થઈ ગયું હોય છે ત્યારે ચૈતન્ય પોતાના સ્વરૂપમાં રમણ કરતું હોય છે. આવું મૃત્યુ કાયોત્સર્ગની એક કે બીજા પ્રકારે સાધના કર્યા વિના આવવું મુશ્કેલ છે. જે રોજ ને રોજ કાયોત્સર્ગ કરતો હોય કે તેની નજીક પહોંચી ગયો હોય તેને મૃત્યુ વખતે કંઈ નવું છોડવાનું હોતું નથી. કાયોત્સર્ગના સાધકે જેની તાલીમ લીધી હોય છે, જેનાથી તેણે પોતાના સમગ્ર ચેતના તંત્રને કેળવ્યું છે તે વાત જ મૃત્યુ સમયે ઉપસ્થિત થાય છે. તેથી તે ગભરાતો નથી કે વિહ્વળ થતો નથી. આવી વ્યક્તિ દેહને કાયમ માટે છોડી દેવા માટે તૈયાર થયેલ જ હોય છે. કારણ કે કાયોત્સર્ગની સાધનાથી તેની વ્યુત્સર્ગ ચેતના જાગી ગયેલી હોય છે: - ૧૫૭ આમ ચૈતન્યની સભાનતાથી શરૂ થયેલ યાત્રા વ્યુત્સર્ગ ચેતનાના આવિષ્કાર સુધી આવી પહોંચે છે. આપણું જીવન ચૈતન્ય અને દેહ બંનેની ઓતપ્રોત થઈ ગયેલી અવસ્થા છે તેથી કાયોત્સર્ગની સાધનામાં દેહની પણ મહત્તા છે. ચૈતન્ય શરૂઆતમાં દેહને સાધીને પોતાની યાત્રા આરંભે છે પણ પછી તેને ઓળંગીને આગળ નીકળી જાય છે. તેથી તો કાયોત્સર્ગ માટે યથાર્થ રીતે કહેવાયું છે - કાઉસ્સગ્ગો સદુમ્બવમોક્ષણો -

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178