Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૪ જૈન આચાર મીમાંસા - નમીને સાષ્ટાંગ કે પંચાગ પ્રણિપાત કરીને મૂકે છે. ભાવપૂર્વક નમવાની સાથે જ શરણે જનારનો અહંકાર ઝૂકી જાય છે. અહંકાર ખૂકતાની સાથે જ સત્યના પ્રવેશનો માર્ગ મોકળો થઈ જાય છે. શરણે જનાર પોતાની મર્યાદાનો સ્વીકાર કરીને મૂકે છે અને જ્ઞાનીઓએ કેવળી ભગવંતોએ બતાવેલા ધર્મને પૂર્ણતયા સમર્પિત થઈને તેનો સ્વીકાર કરી લે છે. ત્યાર પછી તેની બધી દ્વિધાનો અંત આવી જાય છે. જો સૂક્ષ્મ રીતે વિચારીએ તો ચાર શરણમાં સમગ્ર અસ્તિત્વની વાત રહેલી છે. તેમાં આત્માના આરોહણનો માર્ગ પણ દર્શાવાયેલો છે. સંસાર સાગરને પાર કરવા માટેની નૌકા ચાર શરણને આધારે તૈયાર થાય છે. દુષ્કત ગહ અને સુકૃત અનુમોદનાનાં બે પ્રબળ હલેસાને આધારે જીવાત્મા ધર્મનાં સર્વ અંગોનું વહન કરતો સંસાર સાગરને નિશંક પાર કરી જાય છે. આ ભવે કદાચ તે કાર્ય સિદ્ધ ન થાય તો પણ ભવાંતરે તે સિદ્ધ થયા વિના નહીં રહે.

Loading...

Page Navigation
1 ... 175 176 177 178