________________ જૈન આચારોનો વિષય ગહન છે. પ્રત્યેક આચારની પાછળ રહસ્ય રહેલું હોય છે. આ રહસ્યને જાણ્યા 'વિના આચારોનો પૂર્ણ લાભ ન મળી શકે. વળી તેમાં ભાવનું સિંચન કરીને આરાધના કરવી જોઇએ. આ વાતને લક્ષમાં રાખીને આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે તે તેની વિશિષ્ટતા છે. દર્શન શ્રદ્ધાનું જનક છે. જ્ઞાન ધર્મના પથ ઉપર અજવાળાં પાથરે પરંતુ લક્ષ્ય સુધી પહોંચાડે ચારિત્ર અથતિ આચારો. પંચાચાર જૈન આચારોનું પ્રથમ ચરણ છે તો ચાર શરણ અંતિમ ચરણ છે. વચ્ચે આવે છે છ આવશ્યક, બાર વ્રત અને કાઉસગ્ગો અર્થાત કાયોત્સર્ગ. આ પાંચેય વિષયોની આ પુસ્તકમાં વિશદ રીતે છણાવટ કરવામાં આવી છે જે સાધકને ઘણી સહાય કરે તેવી છે.