________________
૧૬૩
શરણ – સાધનાનું અંતિમ ચરણ બ્રહ્માંડ પણ સ્વભાવને આધીન છે. તેના વિશેના સૌ પ્રશ્નો અસ્થાને છે. મૃત્યુ કેમ? વૃદ્ધાવસ્થા કેમ? સંસારમાં આટલા જીવો કેમ? આટલી જ વર્ગણાઓ બ્રહ્માંડમાં શા માટે? સૂર્ય અને તારાઓનું અસ્તિત્વ કેમ અને શાથી? આ બધા પ્રશ્નો નિરર્થક છે અને નિરૂત્તર જ રહેવાના. જો તેનો કોઈ ઉત્તર હોય તો તેટલો જ કે તે જગતસ્વભાવ” છે.
ધર્મનું શરણ એટલે સ્વભાવ પ્રતિ સમર્પણ. સ્વભાવ સામે બળવો ન થઈ શકે. તેની સામે દલીલ ન થઈ શકે. તીર્થરો પણ વસ્તુના સ્વભાવમાં પરિવર્તન કરવા સમર્થ નથી. તેમને પણ સ્વભાવની સર્વોપરીતા સ્વીકારવી પડે છે. આ છે ધર્મ પ્રતિના શરણનો મર્મ જે સમજીને આપણે આપણા મૂળ સ્નાવમાં આવી જવા પ્રતિબદ્ધ થઈ જવાનું છે.
દુષ્કત ગાહ, સુકૃત અનુમોદના અને ચાર શરણનો આપણે ત્યાં ઘણો ઉલ્લેખ થાય છે. પરંતુ મોટે ભાગે આપણે તેનો લાભ લેતા નથી. આ વાત સરળ લાગે છે માટે આપણે તેની થોડીક અવગણના કરી છે – એવું પણ લાગે છે. વળી જે લોકો આ ક્રિયા કરે છે તેઓ તેને ઓઘણાથી કરે છે. તેથી તે એક દ્રવ્યકિયા થઈ જાય છે. આ કિયાની ખરી તાકાત તેના ભાવમાં રહેલી છે. જો ભાવપૂર્વક આ ક્રિયા થાય તો તે એક રીતના ધ્યાનમાં પરિણમી શકે તેવી છે. જો સાધક ભાવની ધારાએ ઊંચે ચઢવા માંડે તો તે એક પછી એક ગુણસ્થાનકો વટાવતો જાય એમાં કંઈ શંકા નથી.
ધર્મમાર્ગનો પ્રવાસી દુષ્કત ગહ અને સંસ્કૃત અનુમોદના કરતાં આત્માની શુદ્ધિ કરતો જાય છે. શરણ સ્વીકારનાર સાધક નીચો