Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 174
________________ શરણ – સાધનાનું અંતિમ ચરણ ૧૬૧ પ્રયાણ કરવા માટે આપણે અરિહંતના ભાવને પકડી તેને શરણે જવાનું છે. રિહંતનો ભાવ એટલે જેને કોઈ શત્રુ નથી. આપણા મોટામાં મોટા શત્રુ રાગ અને દ્વેષ જેનું વિગલન કરી અરિહંત પોતે તો ભવાટવીમાંથી બહાર નીકળી ગયા છે પણ સંસારની ઘોર અટવીમાં (જંગલમાં) તેમનાં પદચિહ્નો (પગલાં) વર્તાય છે અને હજુ તેમનો અવાજ હવામાં ગુંજે છે. તેને આપણે પકડી લઈએ તે અરિહંતનું શરણ ગણાય. અરિહંતના શરણમાં તેમણે ચીંધેલા માર્ગ પ્રતિ સમર્પણની વાત છે. જો આપણે તે ચૂકી જઈએ અને કેવળ તેમની મૂર્તિને પકડીને બેસી રહીએ તો ઝાઝો અર્થ ન સરે. બીજું શરણ સિદ્ધનું આવે છે. સિદ્ધ પરમાત્માઓ એટલે ભવભ્રમણમાંથી નીકળી જઈને અનંત આનંદમાં સ્થિતિ કરીને રહેલા મુક્ત જીવાત્માઓ. સિદ્ધોના શરણમાં ધ્યેય પ્રતિના સમર્પણની વાત રહેલી છે. સિદ્ધ અવસ્થા આપણું ધ્યેય છે. આપણે બેયથી જ અજ્ઞાત હોઈએ કે તેના પ્રતિ સમર્પિત ન હોઈએ તો આપણી યાત્રાનો અર્થ જ ક્યાં રહ્યો? ધ્યેયની સ્પષ્ટતા વિના જવાનું ક્યાં? અને સાધ્ય પ્રતિ સમર્પિત થયા વિના સાધનની પસંદગી પણ કેવી રીતે થઈ શકે અને તેનો ઉપયોગ પણ કેવી રીતે કરી શકાય? સિદ્ધના શરણમાં ધ્યેય પ્રતિની નિષ્ઠાની વાત છે ત્યાર પછી સાધુના શરણની વાત છે. સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ સૌ આવી જાય એટલે કે જેમણે દીક્ષાચારિત્ર અંગીકાર કરીને સંસાર છોડ્યો છે અને લક્ષ્ય ઉપર પહોંચવા યાત્રા શરૂ કરી દીધી છે. સાધુ માત્રમાં ધ્યેય નિષ્ઠા હોય, માર્ગ પ્રતિ સમર્પણ હોય પરંતુ તેમની યાત્રા ચાલુ હોય. ગમે તેવા

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178