Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 168
________________ કાયોત્સર્ગ વૈજ્ઞાનિક અભિગમ કાયોત્સર્ગથી આપણી વિવેક ચેતના જાગે છે. બુદ્ધિ નિર્મળ થાય છે. ચિત્ત શુદ્ધ થાય છે. ત્યાર પછી નીર અને ક્ષીરનો ભેદ આપણને સરળતાથી સમજાય છે. તેથી પુરુષાર્થનો યોગ્ય દિશાબોધ થાય છે. આમ કાયોત્સર્ગ વર્તમાન સમસ્યાઓના સમાધાન માટેની આપણી ક્ષમતામાં ઘણો વધારો કરી આપે છે. - ૧૫૫ વ્યુત્સર્ગ ચેતના : કાયોત્સર્ગની મારે મન જો કોઈ મોટામાં મોટી ઉપલબ્ધિ હોય તો તે વ્યુત્સર્ગ ચેતનાનું જાગરણ. જન્મથી જ આપણને લેવાની મેળવવાની કંઈક પોતાનું કરી લેવાના સંસ્કાર પ્રાપ્ત થયેલા હોય છે. આ ગાઢ સંસ્કારોને ‘સંજ્ઞા’ તરીકે ઓળખવામાં આવે છે. જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે પણ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ- ગાઢ સંસ્કારો સાથે લઈને જ જાય છે. આ સંસ્કારો જીવની સાથે જોડાયેલ સૂક્ષ્મતમ દેહ – કર્મ શરીર સાથે ઓતપ્રોત થઈ ગયા હોય છે. જીવ પોતાની - - આ શરીરની જીવાયોનિમાં જતાં જ સૌપ્રથમ ગર્ભમાં પરમાણુઓ ગ્રહણ કરવા માંડે છે અને તેનાથી તે પોતાનું શરીર બનાવે છે. રચના જીવ પોતાના કર્મ અનુસાર કરે છે. આ પ્રક્રિયા માટે પારિભાષિક શબ્દ ‘આહાર સંજ્ઞા' વાપરવામાં આવે છે. એમાં ખાવાની વાત નથી. પણ કોઈ પણ સ્વરૂપે પદાર્થના પરમાણુઓ ગ્રહણ કરવાની જીવની શક્તિ અને વૃત્તિની વાત છે. બાળક જન્મતાંની સાથે દૂધ લેવા માંડે છે તે પણ આહારસંજ્ઞાનો જ એક ભાગ છે. નાના બાળકને પણ મોટો અવાજ સાંભળતાં ભય લાગે

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178