Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 166
________________ કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ ૧૫૩ કરે છે. આપઘાત એટલે ચેતનાને બળજબરીથી શરીરથી છૂટી પાડવી. કાયોત્સર્ગમાં આ ક્રિયા સ્વેચ્છાએ સરળતાથી આત્મસૂચન દ્વારા આપણે પોતે જ કરીએ છીએ તેથી તે કષ્ટપ્રદ નથી રહેતી. વળી આપણી એવી ક્ષમતા જ નથી કે આપણે એ રીતે કાયોત્સર્ગ સંપૂર્ણતયા સાધી શકીએ. તેથી તો કાયોત્સર્ગ દરમિયાન પણ આપણી કાયા અને ચેતના વચ્ચેનો સૂક્ષ્મ સંબંધ જળવાયેલો રહે છે જે કાયોત્સર્ગ પૂરો કર્યા પછી પુનઃસ્થાપિત થઈ જાય છે. છતાંય કાયોત્સર્ગ દરમિયાન આપણને જે અનુભૂતિ થઈ હોય છે તે આપણને ખૂબ બળ આપનાર નીવડે છે. આમ કાયોત્સર્ગ અભયનો આપનાર છે. સમસ્યાનું સમાધાન : કાયોત્સર્ગ આલોક અને પરલોક બંનેને માટે કલ્યાણકારક છે. કાયોત્સર્ગમાં એવી વાત નથી કે તેનું ફળ પરલોકમાં મળશે અને અહીં તો તમારે જે આવી પડે તે વેઠવાનું. કાયોત્સર્ગ આલોક અને પરલોક બંને માટે અત્યંત ઉપકારક છે. આપણા જીવનની અનેક સમસ્યાઓ ડગલે અને પગલે આપણને સતાવે છે અને તેને હલ કરવામાં ક્યાંક થાપ ખાઈ ગયા તો આપણે જીવનભર તેનાં પરિણામો વેઠવાં પડે છે. આપણી સમસ્યાઓના મૂળમાં આપણો સ્વભાવ અને સમસ્યાઓને સ્પષ્ટ રીતે જોવાની આપણી અશક્તિ છે. સમસ્યાને જોવાની જ જ્યાં વાત ન હોય ત્યાં તેને સમજીને તેનું નિરાકરણ કરવાની વાત તો ક્યાંય દૂર રહી જાય છે. ઊકળતા પાણીના ચરુની જેમ આપણે હંમેશાં જુદા જુદા

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178