SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ વૈજ્ઞાનિક અભિગમ કાયોત્સર્ગથી આપણી વિવેક ચેતના જાગે છે. બુદ્ધિ નિર્મળ થાય છે. ચિત્ત શુદ્ધ થાય છે. ત્યાર પછી નીર અને ક્ષીરનો ભેદ આપણને સરળતાથી સમજાય છે. તેથી પુરુષાર્થનો યોગ્ય દિશાબોધ થાય છે. આમ કાયોત્સર્ગ વર્તમાન સમસ્યાઓના સમાધાન માટેની આપણી ક્ષમતામાં ઘણો વધારો કરી આપે છે. - ૧૫૫ વ્યુત્સર્ગ ચેતના : કાયોત્સર્ગની મારે મન જો કોઈ મોટામાં મોટી ઉપલબ્ધિ હોય તો તે વ્યુત્સર્ગ ચેતનાનું જાગરણ. જન્મથી જ આપણને લેવાની મેળવવાની કંઈક પોતાનું કરી લેવાના સંસ્કાર પ્રાપ્ત થયેલા હોય છે. આ ગાઢ સંસ્કારોને ‘સંજ્ઞા’ તરીકે ઓળખવામાં આવે છે. જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે પણ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ- ગાઢ સંસ્કારો સાથે લઈને જ જાય છે. આ સંસ્કારો જીવની સાથે જોડાયેલ સૂક્ષ્મતમ દેહ – કર્મ શરીર સાથે ઓતપ્રોત થઈ ગયા હોય છે. જીવ પોતાની - - આ શરીરની જીવાયોનિમાં જતાં જ સૌપ્રથમ ગર્ભમાં પરમાણુઓ ગ્રહણ કરવા માંડે છે અને તેનાથી તે પોતાનું શરીર બનાવે છે. રચના જીવ પોતાના કર્મ અનુસાર કરે છે. આ પ્રક્રિયા માટે પારિભાષિક શબ્દ ‘આહાર સંજ્ઞા' વાપરવામાં આવે છે. એમાં ખાવાની વાત નથી. પણ કોઈ પણ સ્વરૂપે પદાર્થના પરમાણુઓ ગ્રહણ કરવાની જીવની શક્તિ અને વૃત્તિની વાત છે. બાળક જન્મતાંની સાથે દૂધ લેવા માંડે છે તે પણ આહારસંજ્ઞાનો જ એક ભાગ છે. નાના બાળકને પણ મોટો અવાજ સાંભળતાં ભય લાગે
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy