________________
કાયોત્સર્ગ વૈજ્ઞાનિક અભિગમ
૧૪૧
આપણે દિવસમાં ત્રણથી ચાર વખત ફક્ત પંદર-વીસ મિનિટ જ કાયોત્સર્ગ કરવાની ટેવ પાડીએ તો આપણે અનેક રોગોને દૂર રાખીશું એટલું જ નહીં પણ સ્વસ્થ રહીને વધારે કાર્યક્ષમ રહી શકીશું.
કાયોત્સર્ગ દરમિયાન આપણા શરીરનું સંચાલન કરનાર ઊર્જા પ્રવાહ મંદ પડે છે તેથી તેની ઇલેક્ટ્રો-મેગ્નેટિક શક્તિ ઘટે છે. પરિણામે બધી માંસપેશીઓ શિથિલ થઈ જાય છે. આપણા જીવનની ત્રણ સ્થિતિઓ સામાન્ય છે ઊંઘ, આરામ અને ક્રિયાત્મકતા. પણ જે અસામાન્ય સ્થિતિ છે તે તનાવની છે જેના આપણે દિવસમાં સતત ભોગ બનતા રહીએ છીએ જેથી ઊર્જા પ્રવાહ તીવ્ર બને છે. પરિણામે ઇલેક્ટ્રો-મેગ્નેટિક શક્તિ વધારે સક્રિય બને છે. અને બધા સ્નાયુઓમાં તાણ પેદા થાય છે. આમ તનાવગ્રસિત માણસનાં જડબાં દબાયેલાં રહે છે. દાંત પીસાતા રહે છે. ભ્રમરો ચડેલી હોય છે અને તેના ચહેરાના સ્નાયુઓ તંગ થઈ ગયા હોય છે. આ બધાની અસર પાચનતંત્ર, ગ્રંથિતંત્ર, નાડી સંસ્થાન બધા ઉપર પડે છે. આમ સમગ્ર વ્યવસ્થાતંત્રને પોતાની ક્ષમતાથી કંઈ ઘણું કામ કરવું પડે છે અને તેમના ઉપર ઘણો બોજો પડે છે. તનાવ દરમિયાન ઊર્જા શક્તિનો વપરાશ સતત વધતો રહે છે. તેથી શરીરમાં કોશિકાઓના નવસર્જનની જે પ્રક્રિયા સતત ચાલતી હોય છે તે મંદ પડે છે. આમ થતાં વૃદ્ધાવસ્થા પણ જલદીથી આવતી જાય છે. આપણા શરીરમાં કેટલીક સ્નાયવિક કોશિકાઓ તો એવી હોય છે કે જે કાયમની હોય છે અને તેને બદલી શકાતી નથી. તનાવથી આવી કોશિકાઓ સતત ઘટતી જાય
-