________________
૧૪૨
જૈન આચાર મીમાંસા છે પરિણામે માણસની યાદશકિત ઘટતી જાય છે અને એવાં ઘણાંબધાં ચિહ્નો શરીરમાં વરતાય છે. આ
કાયોત્સર્ગ કરીને જો સંકલ્પપૂર્વક સંપૂર્ણ શિથિલીકરણ કરવામાં આવે તો આપણે થાક-તાણ અને એમાંથી જન્મનાર અનેક અનિષ્ટોમાંથી બચી શકીશું. તેમની સામે સંરક્ષણની એક અડીખમ દીવાલ ઊભી કરી શકીશું. સ્નાયુઓ બિલકુલ શિથિલ થઈ જતાં માંસપેશી રૂપ વિદ્યુત ચુંબકોમાં વપરાતી ઊર્જાનું સંરક્ષણ કરી તેનું સંવર્ધન કરી શકીશું. ઊર્જના વપરાશને સ્થગિત કરીને કે અલ્પ કરીને કાયોત્સર્ગ ઊંઘ કરતાં પણ વધારે આરામ આપનાર અને સ્વાથ્ય બક્ષનાર નીવડે છે. નિયમિત રીતે કાયોત્સર્ગ કરનારનું સ્વાથ્ય જળવાય છે એટલું જ નહીં પણ તેની કાર્યક્ષમતા વધે છે અને તેનો સ્વભાવ પણ સૌને સ્વીકાર્ય બનતો જાય છે આમ કાયોત્સર્ગની ભૌતિક દેન પણ નાનીસૂની નથી.
ચૈતન્ય પ્રતિ :
આપણી સમગ્ર આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું લક્ષ્ય સમત્વ હોય છે કે હોવું જોઈએ. જંજાળ અને ઝંઝાવાતોથી ભરેલા જીવનમાં જે કંઈ સાધવા જેવું હોય તો તે છે સમત્વ-સમતા. ભલે કોઈ આત્મા-પરમાત્માની વાતમાં ન પડે પણ સમતાનું મૂલ્ય તો તેને મન રહેવાનું જ. આપણી પ્રવૃત્તિઓ પછી તે ભલે મનની હોય કે વચનની હોય કે પછી કાયાની હોય તે શરૂ થાય છે કયાંક અસંતુલનથી. કોઈ જગાએ આપણી અંદરનું સંતુલન જોખમાયું કે આપણે તેને ઠીક કરવા મન - વચન અને કાયાના યોગ દ્વારા