________________
૪. કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ કરવો - કાયાને છોડવી એ એનો સીધોસાદો અર્થ છે. જૈન દર્શનમાં કાયોત્સર્ગનું જે આધ્યાત્મિક મૂલ્ય આંકવામાં આવ્યું છે એવું સંસારના કોઈ દર્શનમાં જોવા મળતું નથી. સંસારની વિષમતા, સુખ-દુઃખ, દ્રવ્ય અને ભાવ, શુભ-અશુભ કર્મનું વિષચક્ર, બંધન અને મોક્ષ ઇત્યાદિ ઉપર જૈન દર્શને ગહન ચિંતન કર્યું છે. સંસારના વિષચક્રમાંથી છૂટવા માટેના જે માર્ગો જૈન દર્શને દર્શાવ્યા છે એમાં તપની ખૂબ પ્રધાનતા ગણી છે. જૈન દર્શને બાર પ્રકારનાં તપ કહ્યાં છે. એમાં છ બાહ્ય તપ અને છ અત્યંતર તપ ગણાય છે. એમાંય છેલ્લું અને અતિ મહત્ત્વનું તપ કાયોત્સર્ગ ગણાય છે. આ તપ જીવને સંસારનાં બંધનોમાંથી મુક્તિ સુધી લઈ જવા માટે સક્ષમ છે.
જૈનો કાયોત્સર્ગને કાઉસ્સગ કહે છે. કાઉસ્સગ્ન પ્રાકૃત શબ્દ છે. જૈનોએ એકલા જ્ઞાનને જ મોક્ષનું કારણ માન્યું નથી. જૈન દર્શન જ્ઞાન, દર્શન અને ચારિત્રને મોક્ષ માર્ગ ગણે છે. એમાં જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આ ત્રણેયનું સરખું મહત્ત્વ છે. આ ત્રણેયનો સુભગ સમન્વય સધાય ત્યારે જ જીવ સુખ-દુઃખ ઇત્યાદિ વિંધોમાંથી છૂટીને સંસારના વિષચકની બહાર નીકળી શકે છે. ત્યાર પછી જીવ જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે કેવળ અસ્તિત્વની, કેવળ
૧૨૯