________________
વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૨૭ અપેક્ષા :
પાંચ મહાવ્રત ધારણ કરનાર મુનિઓ હોય છે. જેમની પાસે સર્વવશત, બધી રીતે સંયમમાં આવ્યાની અપેક્ષા રાખવામાં આવે છે. બાર વ્રતો લેનાર-ઉચરનાર દેશવિરતિ શ્રાવકો હોય છે જેમની પાસે સમકિતની પ્રાપ્તિની અપેક્ષા રખાયેલી હોય છે. તેથી બાર વ્રતો લેતાં પહેલાં સમકિતનું વ્રત ઉચરવાનો વ્યવહાર છે કારણ કે સમકિતની પ્રાપ્તિ થયા વિના આ વ્રતોનું યથાર્થ પાલન થાય તેમ નથી. એ વાત આ કથનનો સૂચિતાર્થ છે. તેથી વ્રત લેનારે સમકિત પ્રાપ્ત કર્યું છે તેમ વ્યવહારથી માનવામાં આવે છે. એ જ રીતે મહાવ્રત લેનાર સાધુ સર્વવિરતિધર છે એ પણ વ્યવહારથી ગણવામાં આવે છે. વ્યવહાર પણ નિશ્ચયને સિદ્ધ કરવામાં સહાયક રહે છે એ સિદ્ધાંતને આધારે તો સમગ્ર વ્રતોનું આયોજન થયેલું છે. તેથી કોઈ નિશ્ચયને આગળ કરી વ્રતોની સહેજ પણ ઉપેક્ષા કરે કે અલ્પતા આવે તો તે બરોબર નથી.
ત્રિવિધ :
આપણે ત્યાં દરેક કાર્યને-પ્રવૃત્તિને, કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણેય રીતે મૂલવવામાં આવે છે. પ્રવૃત્તિ જાતે ન કરી પણ કોઈની પાસે કરાવી તે આપણે કર્યા બરોબર જ ગણાય. પ્રવૃત્તિ જાતે કરી નહિ, કરાવી પણ નહિ છતાંય અન્યને પ્રવૃત્તિ કરવા ઉત્તેજન આપ્યું કે એ પ્રવૃત્તિને જોઈ રાજી થયા તે અનુમોદના થઈ. વ્રતોના પાલનમાં જે બાબતોનો નિષેધ કરવામાં આવ્યો હોય તે ત્રણેય રીતે સમજવાનો છે. વ્રતનું પાલન આ