________________
જૈન આચાર મીમાંસા
૧૨૦
જેટલો વધારે એટલા આપણે પરતંત્ર. સંબંધો પાછળ બીજું પણ એક મનોવૈજ્ઞાનિક કારણ છે. સંબંધોથી આપણે મહાન દેખાવા પ્રયાસ કરીએ છીએ. નોકરચાકર – સ્ટાફ વગેરેને લીધે શેઠ કે ઉપરી – અધિકારી પોતાને મોટો ગણી મહત્તાના ભ્રમમાં રાચે છે. પતિ, પત્નીને દબાવીને; પિતા, પુત્રને અંકુશમાં રાખી; ગુરુ શિષ્યને અનુશાસનમાં રાખીને પોતાની મહત્તા વધારે છે. વાસ્તવિકતામાં આ મહત્તા પોકળ ઠરે છે, કારણ કે જેવા તમે સંબંધોના માલિક થઈ ગયા કે તમે સંબંધોની મીઠાશ કે હૂંફ ગુમાવી દો છો. જે મીઠાશ કે હૂંફ માટે તમે સંબંધો બાંધો છો તે મીઠાશ જ સંબંધોમાંથી ચાલી જાય છે અને પાછળ સંબંધોનું નિઃપ્રાણ માળખું પડ્યું રહે છે.
Ο
આમ બંને રીતે સંબંધો વ્યર્થ ઠરે છે પણ તેની દ્વારા મોહની જે જંજાળ આપણે વધારીએ છીએ, પોષીએ છીએ તે આપણી જ પ્રગતિની આડે પણ આવે છે. વળી સંબંધો કેટલું ટકાવાના ? બહુ બહુ તો આ જન્મ પૂરતા જ ને ! વળી વધારે આગળ-પાછળનો વિચાર કરીએ તો કયા જન્મના સંબંધોને મહત્ત્વના ગણીશું ? આ જન્મનો પિતા, ગયા જન્મનો પુત્ર પણ હોય અને આવતા જન્મનો દુશ્મન પણ નીવડે. આ જ વાત પતિ-પત્ની અને અન્ય સંબંધોને પણ લાગુ પડે છે. પણ તેથી એમ માનવાનું નથી કે સંબંધો ખોટા છે. સંબંધને, સંબંધને સ્થાને રહેવા દો, પણ તેની આસક્તિ ન રાખો. સંબંધો પાસેથી કંઈ અપેક્ષા ન રાખો. બસ પછી તમે છો અને સંબંધ છે. બંને જુદા છે અને એવા સંબંધો આપણને બાંધી નિહ શકે કે પાપમાં જોડી નહિ શકે. મોહ-માયા
ન