________________
વ્રત વિશેષ - ગુગપ્રાપ્તિ પ્રતિ
૧૨૩ પરિગ્રહ મહામૂછ છે, જે અસ્તિત્વની અનુભૂતિને રોકે છે, આત્મસંપદાને અવરોધે છે તેથી અપરિગ્રહને મહાવ્રતમાં ગયું છે. નિશ્વય નય પ્રમાણે તો કર્મ ગ્રહણ કરવાં એ જ પરિગ્રહ છે. વસ્તુનો ત્યાગ એ તો બાહ્ય ઉપચાર છે. મૂળ વાત છે મમત્વના ત્યાગની – જે અંતરંગ અવસ્થા છે અને પરિગ્રહની મૂછ તૂટતાં તે પ્રાપ્ત થાય છે. પરિગ્રહની વ્યર્થતા જો સમજાઈ જશે અને આત્મસાત્ થઈ જશે તો પરિગ્રહની મૂછ તૂટતાં ઝાઝો સમય નહિ લાગે, મૂળ વાત છે આત્માની પર્યાપ્તતાની આત્માને કોઈના સંગની કે સલામતીની આવશ્યક્તા નથી. આત્મા પોતે સ્વયંમાં પર્યાપ્ત છે.
ગુણવ્રતો અને શિક્ષાવ્રતો :
આપણે અહીં પાંચ વ્રતોની ચર્ચા કરી. મુનિએ આ વ્રતો અપવાદ સિવાય આજીવન પાળવાનાં હોય છે તેથી તેને મહાવ્રતો કહે છે. શ્રાવક માટે બારવ્રતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આ પાંચ વ્રતો તો મૂળ વ્રતો છે પણ ગૃહસ્થાશ્રમમાં રહીને આ વ્રતોનું સંપૂર્ણતયા પાલન કરવું મુશ્કેલ હોવાથી તેમાં થોડીક છૂટછાટ મૂકવામાં આવી છે. આમ શ્રાવકને આ જ વ્રતોનું અંશતઃ પાલન કરવાનું હોવાથી તેને અણુવ્રતો કહે છે. વ્રતપાલનમાં ચુસ્તતાની દષ્ટિએ ગૃહસ્થને માટે થોડીક છૂટ રાખવામાં આવી તો તેને વ્રતપાલનમાં દઢ કરવા માટે બીજાં સાત વ્રતો ઉમેરવામાં આવ્યાં છે. એમાં ત્રણ વ્રતો ચારિત્ર ગુણની પુષ્ટિ માટેનાં હોવાથી તેને ગુણવંતો કહે છે.. | દિક-પરિમાણ નામનું છઠું વ્રત છે. એ વ્રત લેનાર દરેક દિશામાં