________________
વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૨૧ વિનાના સંબંધોથી વ્યવહાર સચવાશે અને તેમાં મીઠાશ પણ વધારે રહેશે.
પરિગ્રહનું મોટું સાધન છે વસ્તુઓ, બંગલો, ગાડી, જરઝવેરાત, ધન-દોલત, ફર્નિચર, કપડાં-લત્તાં, રાચ-રચીલું ઇત્યાદિ. આ બધું આપણે જિંદગીભર વધારતા જ જઈએ છીએ. ગમે એટલી વસ્તુઓ હોય કે ધન-દોલત હોય પણ આપણે તેનાથી ધરાતા જ નથી. હજુ વધારે, હજુ વધારે એવો નાદ આપણી અંદરથી ઊડ્યા જ કરે છે અને તેને આધીન થઈને આપણે જીવનભર દોડ્યા કરીએ છીએ. પછી ઓચિંતા એક દિવસ ધબ દઈને ઢળી પડીએ છીએ. વસ્તુઓ વગેરે ભેગું કરવા પાછળ લોભવૃત્તિ કામ કરે છે પણ આપણે સલામતીને આગળ ધરી પરિગ્રહ કરીએ છીએ. કેટલેક અંશે સલામતીની વાત સાચી હશે પણ આપણે જીવનભર કરેલો સંગ્રહ શું આપણી સલામતી માટે પૂર્ણ નથી? અને જો તે પૂરતો ન જ હોય તો હવે આપણે શું કરી શકવાના? જે સલામતી જીવનમાં કયારેય ન મળી શકી તે હવે જિંદગીની આખરી દોડમાં મળી જશે? આવી સલામતીની શોધમાં ભટકતા રહેવું તેના કરતાં તો બિનસલામતીમાં જીવવું કદાચ વધારે સુખદ નીવડે.
વસ્તુ કે સંબંધો વ્યર્થ નથી, તેનો ઉપયોગ છે. જીવનમાં તેની જરૂર રહે છે એ વાત નિર્વિવાદ છે પણ તેનો પરિગ્રહ વ્યર્થ છે. પરિગ્રહ નથી સલામતી આપતો કે નથી સંતોષ આપતો. ઊલટાનું જે પ્રાપ્ત થયું છે તેને પણ પરિગ્રહની મૂછ ભોગવવા દેતી નથી. લોભનો કૂવો તો એટલો બધો ઊંડો છે કે તેમાં ગમે એટલું નાખો.