________________
વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૧૭ આપણાં વ્રતોનો પણ એ જ આશય છે. પરમાર્થે થતી પ્રવૃત્તિઓ ઊર્જાને ઉપર તરફ વાળે છે. કષાયો ઊર્જાને નીચે તરફ લઈ જાય છે. મન-વચન અને કાયાના યોગોની અલ્પતા, મૌન વગેરે ઊર્જાનો સંચય કરનાર છે જ્યારે કાયોત્સર્ગ ધ્યાન ઇત્યાદિ જીવનશક્તિનું ઊર્ધ્વરોહણ કરે છે. આત્મશકિતનું પરમાત્મશકિતમાં રૂપાંતર એટલે આત્માનું પરમ માં રૂપાંતર. ભલે આપણે આટલું સિદ્ધ ન કરી શકીએ તોપણ મનુષ્યજીવનમાં શક્ય હોય એટલું તો આપણે કરી જ લેવું જોઈએ. આ કાર્ય મનુષ્યજન્મમાં જ સારી રીતે થઈ શકે છે માટે આ વ્રતનો મહિમા છે. આ વ્રતની સિદ્ધિમાં સૌ વ્રતો સમાઈ જાય છે. બધાં વ્રતોનું લક્ષ્ય પરમાત્મશક્તિની પ્રાપ્તિ છે પણ આ વ્રતની યાત્રા તો સીધી જ પરમાત્મપદ પ્રતિ છે. .
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એક જ આત્મશક્તિની જુદી જુદી અવસ્થાઓ છે. એક જ જીવનશક્તિનાં એ ત્રણેય સ્તરો છે તેથી તેનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને ત્યાંથી ત્રીજી અવસ્થામાં સાધનાથી સંક્રમણ થઈ શકે છે. “આ છે બ્રહ્મચર્ય વ્રતનું મહત્વ જે વૈજ્ઞાનિક ઢંગથી સમજાવવા પ્રયાસ કર્યો છે અને તેની આધ્યાત્મિક ઉપલબ્ધિનું નિર્દેશન કર્યું છે. બ્રહ્મચર્યના આચરણ માટે આપણે ત્યાં જે નાનીમોટી વિગતો આપવામાં આવે છે તે ખૂબ મહત્વની છે. બ્રહ્મચર્યને વૈજ્ઞાનિક રીતે સમજ્યા પછી તેની અવગણના કરવાની નથી; ઊલટાની તેને મહત્વની ગણવાની છે.