Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 129
________________ જૈન આચાર મીમાંસા તેમ એકત્રિત કરેલી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવામાં આવે તો તેનું અપૂર્વ પરિણામ આવે. આ યોગ્ય માર્ગ એટલે સામાન્ય રીતે નીચેની તરફ વહેતી ઊર્જાને ઉપર તરફ વાળવી, જેને ઊર્જાનું ઊર્ધ્વરોહણ કહે છે. આપણી જીવનશક્તિને કામ કેન્દ્ર તરફ વહી જતાં રોકીને ઉપર તરફ વાળવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલાં સૂક્ષ્મ કેન્દ્રો, જેને યોગની ભાષામાં ચકો કહે છે, તેને ભેદીને છેક ઉપર મસ્તકમાં આવેલા સહસાર ચકમાં સ્થિત થઈ જાય છે. આ પ્રક્રિયાને કુંડલિની યોગ પણ કહેવામાં આવે છે. આ અવસ્થા પરમ આનંદની અવસ્થા છે - પરમ સત્યની પ્રાપ્તિની અવસ્થા છે. આપણા શરીરમાં છ સૂમ કેન્દ્રો - ચકો માનવામાં આવે છે. નીચેથી શરૂ કરીને ઉપરની તરફ જઈએ તો પ્રથમ મૂલાધાર, બીજું સ્વાધિષ્ઠાન, ત્રીજું મણિપુર, ચોથું અનાહત, પાંચમું વિશુદ્ધિ, છઠું આજ્ઞાચક જે બે ભ્રમરોની મધ્યે આવેલું છે. ઊધ્વરોહણ કરતી જીવનશક્તિ જ્યારે આજ્ઞાચકને ભેદીને મસ્તકની છેક ટોચ ઉપર આવેલ સહસ્ત્રાર ચક્રમાં સ્થિત થઈ જાય છે ત્યારે સાધકને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આપણે ત્યાં જેને કેવળ જ્ઞાન કહે છે તે કદાચ આ જ અવસ્થા છે. પ્રાપ્તિ એક છે પણ માર્ગ ભિન્ન છે. કષાયોનો ક્ષય થતો જાય તેમ તેમ ઉપરનાં ચકો ખૂલતાં જાય કે ચકો ખૂલતાં જાય તેમ કષાયોનો ક્ષય થતો જાય છે. મૂળ વાત છે પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરવાની. પરમાત્મ અવસ્થા એટલે ઊર્જનો અખૂટ ભંડાર જેને આપણે અનંત વીર્ય પણ કહીએ છીએ. આપણાં ધાર્મિક અનુષ્ઠાનો ઊર્જાનું ઉધ્વરોહણ કરનારાં છે.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178