________________
૧૧૪
જૈન આચાર મીમાંસા છીએ. જન્મથી મૃત્યુ સુધીની આપણી આખી યાત્રા ઊર્જાને સહારે થાય છે. ઊ એ જીવનશકિત છે. વાસ્તવિકતામાં આપણું જીવન ઊર્જા સિવાય કંઈ નથી. ઊર્જાનું ખર્ચાવું, ઊર્જાનું પેદા થવું, ઊર્જાનો સંચય થવો અને વળી પાછો ઊર્જાનો વ્યય થવો - બસ આ છે આપણા જીવનની ઘટમાળ. આહાર-પાણી દ્વારા આપણે ઊર્જા પ્રાપ્ત કરીએ છીએ અને આરામ દ્વારા, નિદ્રા દ્વારા આપણે ઊર્જાનો સંચય કરીએ છીએ. વળી પાછા કામનાઓઇચ્છાઓ કરી, વિવિધ પ્રવૃત્તિઓ કરી. ઊર્જા ખર્ચી નાખીએ છીએ. આમ ચક્કર ચાલ્યા જ કરે છે. આ છે આપણું જીવનચક.
જ્યારે ઊર્જ સંગ્રહિત થઈ હોય ત્યારે આપણને સુખ-શાન્તિ લાગે છે. શરીરમાં તાજગી લાગે છે, મન પ્રફુલ્લિત રહે છે. જ્યારે ઊર્જાનો વ્યય થાય છે ત્યારે શરીરને થાક લાગે છે, કંટાળો આવે છે અને મન ખિન્ન થઈ જાય છે. આપણાં સુખ-દુઃખ, આપણી પ્રસન્નતા અને ખિન્નતા એ બધી ઊર્જાની લીલા છે. આપણે સૌ જાણીએ છીએ અને આપણા અનુભવની વાત છે કે જ્યારે આપણે બરોબર ઊંઘ લીધી હોય ત્યારે સવારે આપણે તાજા અને પ્રફુલ્લિત હોઈએ છીએ. જો નિદ્રા બરોબર ન આવી હોય તો આપણે થાકેલા, ચીડાયેલા ઊઠીએ છીએ. નિદ્રા દરમ્યાન આપણે આરામ કરી ઊર્જા બચાવી હોય છે. દરમિયાન ઊર્જાનો વ્યય પણ ઓછામાં ઓછો થયો હોય છે. વળી રાત્રિ દરમિયાન ભોજન-પાણી વગેરેની પાચનક્રિયા પૂર્ણ થતાં નવી ઊર્જા પેદા થઈ ગઈ હોય છે. બહુ વિચિત્ર છે પણ સત્ય છે કે આપણે સમસ્ત જીવન ઊર્જાનો વ્યય, ઊર્જાની પ્રાપ્તિ, ઊર્જાનો સંચય અને વળી પાછો ઊર્જાનો વ્યય એમ