________________
૧૦૬
જૈન આચાર મીમાંસા
છે તત્ત્વ. તત્ત્વ માત્ર સત્ય છે પણ આપણે વિચાર કરવાનો છે આત્મતત્ત્વનો, કારણ કે તે ચેતન છે – પ્રાણવાન છે અને આપણે તે જ છીએ.
સત્યરમણતા એટલે સત્યમાં સ્થિત થઈ જવાનું એટલે કે આપણા અસ્તિત્વમાં પૂર્ણતા જોવાની - અનુભવવાની. આપણે હંમેશાં પળે-પળે બદલાતા પર્યાયોમાં જીવીએ છીએ અને સત્યની આપણને હંમેશાં વિસ્મૃતિ રહ્યા કરે છે. આપણે શાશ્વત સત્યથી વિમુખ થઈ ગયા છીએ અને અસત્યની સન્મુખ થયા છીએ. પર્યાય ઉપર દૃષ્ટિ રાખનાર, પર્યાયમાં જીવનાર, પર્યાયના ઉત્પન્ન થવા સાથે સુખી કે દુઃખી થવાનો અને પર્યાય નષ્ટ થાય ત્યારે પણ સુખ કે દુઃખ ભોગવવાનો. અનુકૂળ પર્યાયમાં સુખની ભ્રાન્તિ થવાની અને પ્રતિકૂળ પર્યાયમાં દુઃખની ભ્રાન્તિ થવાની. પર્યાયથી પેદા થનારાં સુખ કે દુઃખ કેવળ ભ્રાન્તિ છે કારણ કે તેમાં કશું કાયમનું નથી, કશું જ સ્થિર નથી. જીવની નજર જેવી સ્થિર તત્ત્વ ઉપર ઠરી કે તુરત જ તેને પર્યાય જગતની ક્ષણભંગુરતા સમજાઈ જવાની અને પર્યાય જગત નિરર્થક લાગવાનું. ત્યાર પછી બદલાતા પર્યાયોના જગતમાં જીવ રાચતો નથી અને દુઃખી પણ થતો નથી. પર્યાયથી પર થઈને જીવ પછી આત્મતત્ત્વમાં સ્થિરતા કરે છે કરે રમણતા છે. આમ સત્યમાં સ્થાપિત થતાં જીવનો સંસાર કપાઈ જાય છે અને મોક્ષમાર્ગની સીડી તેના હાથમાં આવી જાય છે. અસત્ય વિરમણ મોક્ષમાર્ગની સીડીનું પ્રથમ પગથિયું છે. તેથી આ વ્રતને હું પાયાનું વ્રત ગણું છું અને બ્રહ્મચર્યને ચરમ વ્રત ગણું છું. સત્યમાં પ્રતિષ્ઠિત થવા માટેનું આ વ્રત છે. એક વખત આત્મતત્ત્વ ઓળખાઈ ગયું,
-