________________
વ્રત વિશેષ – ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૦૯
કોઈ ચીજવસ્તુ વાપરે એ પણ ચોરી જ ગણાય. આ બાબતે મોટો મોટી રીતે અને નાનો નાની રીતે ચોરી કરતાં ચાંય અટકતો નથી. એવી જ બીજી એક બાબત સંબંધોની ચોરીની છે. સમાજ પતિપત્ની, પિતા-પુત્ર, ભાઈ-બહેન, ગુરુ-શિષ્ય, મિત્ર-મિત્ર એવા અનેક સંબંધોને આધારે ટકી રહ્યો છે. આ સંબંધો જીવનમાં બળ આપે છે, હૂંફ આપે છે અને તેને આધારે માણસ ટકી રહ્યો છે. કોઈનાય સંબંધોના પ્રબળ આલંબનને ઝૂંટવી લેવું-હટાવી નાખવું એ પણ ચોરીનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આ બધા પ્રકારની ચોરીઓ સ્થૂળ સ્વરૂપની જ ગણાય. કારણ કે તેનો સંદર્ભ વધારે તો વ્યાવહારિક છે.
ચોરી શા માટે ન કરવી એ બાબત આપણે કદી શાન્તિથી વિચાર કર્યો છે ? દરેક વ્યક્તિને પોતાની વસ્તુ કે પોતાના સંબંધો પરત્વે ગાઢ મમત્વ હોય છે. એની એ વસ્તુ કે સંબંધને કોઈ આંચકી લેપડાવી લે ત્યારે તેને જબ્બર માનસિક આઘાત લાગે છે જે જીરવવો ઘણો મુશ્કેલ હોય છે અને દુઃખદ પણ હોય છે. આ સમયે જીવને ઘણી વ્યગ્રતા રહે છે અને તે ઘણી પીડા ભોગવે છે. જો તે શક્તિશાળી હોય તો વળતો ઘા મારે, લડાઈ કરે ઇત્યાદિ ઘણુંબધું થાય. બંને પક્ષે આમ આઘાત પ્રત્યાઘાત થતાં વિવિધ પ્રકારે વિનાશ સર્જાય છે. મનની શાન્તિ અને સ્વસ્થતા હણાય એ વાત તો ખરી જ પણ બીજીય બાબતોમાં જીવોને સહન કરવું પડે છે. આમ એક અર્થમાં ચોરી એ સૂક્ષ્મ અર્થમાં હિંસા છે એટલું જ નહીં પણ ઘણી. વાર તો સ્થૂળ અર્થમાં પણ તે લોકોના જાનની હાનિનું કારણ બને છે. ચોરીનો વિસ્તાર ઘણો મોટો છે, સાહિત્ય,