________________
વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૦૭ તેની પ્રતીતિ થઈ ગઈ અને વ્રત લઈને તેમાં પ્રતિષ્ઠિત થવા માંડ્યું પછી વાત આવે છે પરમાત્મ તત્વની ઉપલબ્ધિની. સાધના તો જીવે હજુ કરવી પડશે પણ સાધનાની સીડી હાથમાં આવી જાય તે પણ કંઈ ઓછી વાત નથી. જે ઝડપથી સીડી ચડે તે જલદીથી પરમાત્મ તત્વને પ્રાપ્ત કરે અને જે ધીમેથી ઉપર ચડે તેનો વિકાસ ધીમો રહે એટલો ફરક પડે.
સત્યમાં પ્રતિષ્ઠિત થવાનો માર્ગ સીધાં ચઢાણવાળો છે. પ્રથમ પગથિયેથી તેની શરૂઆત થાય અને સીડીના અંતિમ પગથિયે પૂર્ણ સત્યમાં પ્રતિષ્ઠિત થવાય. સાધના જેટલી ઊંડી તેટલી તેની સિદ્ધિ ઊંચી. જૈન ધર્મ-પ્રણિત બધી ધર્મક્રિયાઓ સત્યમાં ઊતરવાની ક્રિયાઓ છે. ચારિત્રમાં આવ્યા વિના સત્યની મંજિલ તરફ ડગલુંય ભર્યું ન ગણાય. છ આવશ્યક ક્રિયાઓ, પંચાચાર અને વ્રતો સત્યની આરાધનાનાં અનુષ્ઠાનો છે. એકલી ક્રિયાઓ લંગડાતી રહે છે તો એકલું જ્ઞાન દીવાસ્વપ્ન જેવું છે જે ક્યાંય પહોંચાડતું નથી. સમજણ સાથેની ક્રિયા જ સાધના બને છે. સાધનાની પ્રક્રિયા વૃક્ષના વિકાસને મળતી છે. સાધનાનાં મૂળ જેટલાં ભીતર - ઊંડાણમાં ઊતરે એટલું જીવનવૃક્ષ દઢ થાય અને ફૂલે-ફાલે. સાધના અંતરના ઊંડાણમાં ઊતરતી જાય તેમ સિદ્ધિઓ ફળ અને ફૂલની જેમ ઉપર આવતી જાય.
સત્યરમાણતા – અસત્ય વિરમણ વ્રતનો આ મહિમા છે. આ પાયાની વાત છે જેથી આ વ્રતના પાલન માટે જે વ્યાવહારિક ભાષા આપણે ત્યાં વ્યાખ્યાનોમાં કહેવામાં આવે છે કે પુસ્તકોમાં દર્શાવવામાં આવે છે તેનું ધ્યાનપૂર્વક પાલન કરતા રહેવાનું છે. તેની