Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 118
________________ વન વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ ૧૦૫ પરમાત્માને એનો એ જ પ્રશ્ન પૂછે જેના ઉત્તરમાં ભગવાન કહે: “ધૂવે ઈ વા.” ધ્રુવ છે – નિત્ય છે એ તત્ત્વ છે. જૈન ધર્મની આ ત્રિપદી છે. ગણધર ભગવંતો આ ત્રિપદીમાંથી ધર્મનાં સઘળાં રહસ્યો સમજી જાય છે અને તેના ઉપરથી શાસ્ત્રોની રચના કરે છે. સર્વ શાસ્ત્રો ત્રિપદીનો વિસ્તાર છે. તીર્થંકર પરમાત્મા આ ત્રણ જ પદમાં પરમતત્ત્વનું રહસ્ય સમજાવી દે છે. આ ત્રણ પદમાં ધર્મ તો શું પણ સકળ વિશ્વનું રહસ્ય સમાયેલું છે. ગણધર ભગવંતોનું ઉપાદાન ખૂબ તૈયાર હોય છે; તેમની પાત્રતા કેળવાયેલી હોય છે તેથી તેઓ આ ત્રણ બિંદુમાં સાગર જોઈ શકે છે અને શાસ્ત્રોની રચના કરી લે છે. આ ત્રણ બાબતો શું છે? ઉત્પન્ન થાય છે. નાશ પામે છે. ધ્રુવ-શાશ્વત છે. આ શેની વાત છે? જીવ અને જડની આ વાત છે જેની રમત આખો સંસાર છે. ભગવાને પ્રથમ પદમાં કહ્યું કે ઉત્પન્ન થાય, પણ તેનાથી વસ્તુનું સમાધાન ન મળતાં શિષ્ય ફરીથી પૂછે છે તો બીજા પદમાં ભગવાન કહે છે કે નાશ પામે છે – વિસર્જન થાય છે. પણ તેનાથીય વાતનું સમાધાન ન મળતાં શિષ્ય ત્રીજી વાર પૂછે છે કે ભગવાન તત્વ શું છે? ત્રીજા પદમાં ભગવાન કહે છે કે નિત્ય છે - શાશ્વત છે. શ્રેષ્ઠ ઉપાદાનવાળા શિષ્યના મનમાં ઝબકારો થાય છે અને તે સઘળી વાતનો સાર પામી જાય છે. આત્મદ્રવ્ય નિત્ય છે, શાશ્વત છે પણ તેના વિવિધ પર્યાયો (સ્વરૂપો) ઉત્પન્ન થાય છે. આત્મા ધ્રુવ તત્ત્વ છે પણ તેના પર્યાયો નાશ પામે છે. ઉત્પત્તિ અને વિનાશ, સર્જન અને વિસર્જન બ્રહ્માંડમાં સતત થતું રહે છે પણ સત્ય એનું એ જ રહે છે. સત્ય

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178