________________
ત્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
૧૦૩ જે કંઈ હિંસા બચે છે તે અજાણતાં થતી અનિવાર્ય હિંસા હોય અને તેનું દુઃખ આપણને રહેવાનું.
જૈન ધર્મ પ્રરૂપિત અહિંસાના પાયામાં સર્વ જીવો પ્રતિ સમભાવ-સમસંવેદન રહેલું છે, જે આત્માની આંશિક અનુભૂતિ થયા વિના સિદ્ધ થતું નથી. તેથી એક રીતે એમ કહેવાય છે કે આત્મજ્ઞાન તે અહિંસા છે અને આત્મા અજ્ઞાન તે હિંસા છે. જેમ પ્રકાશ થતાં અંધકાર દૂર થાય છે તેમ આત્મજ્ઞાન થતાં, આત્માની આંશિક પણ અનુભૂતિ થતાં અહિંસાની ભાવદશા પ્રગટ થવા લાગે છે અને હિંસા ખસતી જાય છે.
.. એ આપણે અહીં અહિંસાની સૂક્ષ્મ વાતો કરી તેનો અર્થ એ નથી કે પરંપરાગત રીતે કહેવાયેલી વાતો મહત્ત્વની નથી. હિંસા કરવી નહિ, કરાવવી નહિ કે તેની અનુમોદના ન કરવી એ વાત તો ઊભી જ છે. દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી કે ભાવથી હિંસા આચરવી નહિ તે આ વ્રતની આણ છે. દ્રવ્યથી એટલે કોઈ જીવનો પ્રાણ ન લેવો કે તેના પ્રાણને હાનિ થાય તેમ ન વર્તવું. કાળથી એટલે કોઈ પણ સમયે હિંસા ન કરવી. ક્ષેત્રથી એટલે કોઈ પણ સ્થળે હિંસા ન આચરવી અને ભાવથી એટલે રાગ-દ્વેષને કારણે કોઈ જીવનો ઘાત ન કરવો. વાસ્તવિકતામાં તો રાગ-દ્વેષની ઉત્પત્તિ એ પોતાની જ હિંસા છે અને કર્મનો બંધ આત્મઘાત છે. કર્મ બાંધીને જીવ પોતાના આત્મા સાથે હિંસા આદરે છે. અહીં આપણે હિંસાનાં વિવિધ રૂપોનો પરિચય કરાવ્યો છે અને તેની પાછળ રહેલાં તત્ત્વોનું નિરૂપણ કર્યું છે જે સમજીને વ્રતીએ પોતાના વ્રતમાં દઢ થવાનું છે. અહિંસા મૂળમાં તો ચરિત્રનો ગુણ છે જે આપણે કેળવવાનો છે.