________________
૧૦૨
જૈન આચાર મીમાંસા પ્રવૃત્તિઓ પાછળ આપણો અહંકાર રહેલો હોય છે અને જ્યાં આપણા અહમને ઠેસ પહોંચી કે આપણે ભભૂકી ઊઠીએ છીએ. હિંસાને ઓળખવા માટે આપણે આપણા અહંકારને બરોબર સમજી લેવી પડશે અને અહિંસામાં જવા માટે આપણે આપણા અહને – અહંકારને ઓગાળવો પડશે. આપણું અસ્તિત્વ કોઈને પણ અડચણકર્તા ન બને અને અન્યના અસ્તિત્વનો આપણે સહજ સ્વીકાર કરી શકીએ ત્યારે સમજી લેવું કે આપણો અહિંસામાં પ્રવેશ થઈ ચૂક્યો છે. | હિંસાને નિર્મૂળ કરવી હોય તો સૌપ્રથમ આપણે અહંકારને કાઢવો પડશે. અહંકારનાં મૂળિયાં ઘણાં ઊંડાં હોય છે તેથી તેને ઉખેડવાનું કામ એટલું સહેલું નથી હોતું. પણ એક વાર આપણને બરોબર સમજાઈ જાય કે હું આ શરીર નથી પણ આત્મા છું, મારા જેવું જ ચૈતન્ય અન્ય જીવોમાં વિલસે છે – રહેલું છે ત્યાર પછી હિંસા આચરવાનું અશક્ય નહિ તો છેવટે મુશ્કેલ બની જાય છે. આપણે ત્યાં વ્રતો લેતાં પહેલાં સમકિતની પ્રાપ્તિની પૂર્વશરત ગણાય છે તેનું પણ આ કારણ હશે એમ લાગે છે. આપણને સૌ જીવો પ્રતિ સમભાવ નથી હોતો ત્યારે જ આપણે તેમનો ઘાત કરી શકીએ છીએ કે તેમને પીડા આપી શકીએ છીએ. જ્યાં સૌમાં રહેલા આત્મતત્વની પ્રતીતિ થઈ ગઈ ત્યાં બધા જીવોમાં રહેલી ભિન્નતા કર્મવશ લાગવાની. કર્મનો ખેલ સમજાઈ ગયા પછી આપણને કોઈ જીવ પ્રતિ દ્વેષ નહિ રહેવાનો અને આપણા માટે ગાઢ રાગ નહિ થવાનો. જ્યાં રાગ-દ્વેષ ન રહ્યા કે પાતળા પડી ગયા ત્યાં હિંસા કરવાનું અશક્ય અથવા મુશ્કેલ થઈ જવાનું. ત્યાર પછી જીવનમાં