________________
જૈન આચાર મીમાંસા
બહુરૂપિણી છે અને એમાંય જ્યારે તે અહિંસાનો ચહેરો-મહોરો પહેરીને આવે છે ત્યારે ઓળખાતી પણ નથી. ક્રૂર રીતે હિંસા કરનારને પણ અહિંસક દેખાવું ગમે છે. આપણે ધર્મને નામે હિંસા કરીએ છીએ, કોમને નામે હિંસા આચરીએ છીએ, સ્વદેશાભિમાન કે દેશભક્તિને નામે પણ હિંસામાં રાચીએ છીએ. અરે, પ્રેમને આગળ ધરીને પણ હિંસા કરતાં પાછા પડતા નથી. નિરપરાધી જીવને, મારવાની બુદ્ધિથી તો કોઈ જૈન નહિ મારે. જીવ વિચારનો થોડો ઘણો ખ્યાલ તો જન્મજાત જૈનને હોય જ. છતાંય આપણે હિંસામાં ઊતરી પડીએ છીએ કારણ કે તે લોભામણા અને સોહામણા ચહેરે આપણી સમક્ષ આવે છે.
૧૦૦
સ્થૂળ હિંસા દેખાય છે તેથી તે કરતાં માણસ સમાજમાં પાછો પડે છે પણ માનસિક ત્રાસ એ સૂક્ષ્મ હિંસા છે જે આચરતાં માણસ એટલું અટકતો નથી. હિંસાની વાત કરીએ ત્યારે મોટે ભાગે આપણે સ્થૂળ હિંસાનો વિચાર કરીએ છીએ પણ સૂક્ષ્મ હિંસાની તો સામેય જોતા નથી. આપણું વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, સાંપ્રદાયિક જીવન સ્થૂલ કે સૂક્ષ્મ હિંસાથી ઊભરાય છે. અહિંસાના વ્રતનું પાલન કરનારે આ બંને પ્રકારની હિંસાને ઓળખી તેનાથી અળગા રહેવું જોઈએ.
સ્થૂળ હિંસા જો તે વિકસિત જીવોની હોય તો રાજકીય અપરાધ ઠરે છે. પણ ભાવ હિંસાથી તો આપણે ભાગ્યે જ દૂર રહીએ છીએ. ભાવ હિંસા સૂક્ષ્મ છે તેથી તે દેખાતી નથી પણ તે હિંસા તો છે જ. ઘણી વાર તો ભાવ હિંસા સ્થળ હિંસા કરતાંય ઘણી આકરી નીવડે છે. કોઈ પણ જીવને દુઃખ આપીએ કે માનસિક