________________
૯
વ્રત વિશેષ – ગુણપ્રાપ્તિ પ્રતિ
હિંસાનો કેવળ નિષેધ જ નથી પણ તેના કરતાંય ઘણી વધારે વાત છે. ફકત નિષેધમાં જ વ્રતની પૂર્ણતા માની લઈશું તો તેના મર્મને ચૂકી જઈશું. કોઈ પણ જીવની જાણતાં કે અજાણતા હિંસા ન થાય એ તો ખૂબ મહત્ત્વની વાત છે એમાં તો કોઈ શંકા નથી. એમાંય જે જીવે આપણું કંઈ બગાડ્યું નથી કે જે જીવ આપણા માટે અડચણ રૂપ પણ બન્યો નથી એવા જીવને મારવો એ તો વળી ઘણું ઘાતકી કૃત્ય છે. હિંસાના પાપકર્મથી ચાં કચાં બચી શકાય તે વિષે જૈન ધર્મે સૂક્ષ્મ વિચારણા કરીને વ્યવહાર માટે નીતિ નિયમો બનાવ્યા છે તે તો આચરણીય છે પણ આપણે અહીં વાત કરવી છે અહિંસાની સ્થિતિની, તેની ભાવ દશાની જે અહિંસા વ્રતના હાર્દ સમી છે.
વાસ્તવિકતામાં અહિંસા આપણો મૂળ સ્વભાવ છે પણ આપણે કષાયો અને આસપાસનાં નિમિત્તો કે પરિસ્થિતિને કારણે સ્વભાવ ગુમાવી બેઠા છીએ. અંધકારનું જેમ સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમ હિંસાનું પણ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રકાશનો અભાવ એ અંધકાર છે જે પ્રકાશ થતાં જ દૂર થઈ જાય છે. એ જ રીતે અહિંસા જે આપણો સ્વભાવ છે જે પ્રગટ થતાં આપણી હિંસા ખોવાઈ જાય છે, ત્યાર પછી જે કંઈ હિંસા બાકી રહે છે તે જીવનનો વ્યવહાર સાચવવા થતી અનિવાર્ય સૂક્ષ્મ હિંસા છે જે એટલી ગાઢ નથી હોતી. અહિંસામાં જવા માટે આપણે પ્રથમ તો હિંસાને ઓળખી લઈએ. મિત્રને ઓળખવામાં કદાચ વિલંબ ચાલે પણ દુશ્મનને તો પહેલાં જાણી લેવો જોઈએ. હિંસાનાં ઘણાં રૂપ છે. હિંસા