________________
૩. વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ
જૈન ધર્મની એ વિશિષ્ટતા છે કે તેણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયને પરમ તત્વની પ્રાપ્તિ માટેનાં સાધન ગયાં છે. વળી આ ત્રણેય અંગ સમ્યક હોવાં જોઈએ એ બાબત ધર્મપ્રાપ્તિની પૂર્વશરત છે. જ્ઞાન સમ્યફ ન હોય તો કામનું નહિ, દર્શન પણ સમ્યક જ હોવું જોઈએ. ચારિત્ર પણ સમ્યફ રહેવું જોઈએ. જ્ઞાન, દર્શન કે ચારિત્ર જો સમ્યફ ન હોય તો જૈન ધર્મ તેની કંઈ કિંમત આંકતો નથી. તેથી જૈન ધર્મમાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્થા ચારિત્ર એવા શબ્દો ભારપૂર્વક વપરાયેલા જોવા મળે છે, અને તેનાં લક્ષણોનું વિશદતાથી વર્ણન કરવામાં આવે છે. સાધક આ ‘મિથ્યા'ને કયાંય સાચું કે યોગ્ય ન માની લે તેની જૈન ધર્મે ખૂબ ચીવટ રાખી છે. બીજી પણ એક મહત્ત્વની વાત જૈન ધર્મે કરી છે કે પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે આ ત્રણેય અંગ જરૂરી છે. કેટલાક ધર્મોએ એકલા જ્ઞાનને પર્યાપ્ત માન્યું છે, તો કેટલાકે આચારપાલનને (ચારિત્રને) પર્યાપ્ત ગયું છે. દર્શન તો વળી જૈન ધર્મની જ નીપજ છે. જ્ઞાન અને દર્શન વચ્ચેનો ભેદ ભાગ્યે જ અન્ય કોઈ ધર્મે આ રીતે કર્યો છે. સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ: એ જૈન ધર્મનું પાયાનું વિધાન છે. આ ત્રણેય આવશ્યક છે. એમાંથી કોઈનો પણ મોક્ષ માર્ગમાં લોપ ન