________________
જૈન આચાર મીમાંસા કરી શકાય. ત્રણમાંથી એક ચૂક્યા એટલે બીજું ચૂકી જવાય અને એકલા ત્રીજાને આધારે મોક્ષ માર્ગમાં આગળ ન વધાય. વાસ્તવિકતામાં આ ત્રણેય બાબતો સંલગ્ન છે, તેથી આપણા આચાર્યોએ આ ત્રણેય સચવાય એ રીતે આપણી આરાધનાની વ્યવસ્થા ગોઠવી છે.
જ્ઞાન મંજિલની સ્પષ્ટતા માટે છે તો દર્શન માર્ગને જોવા માટે છે. પણ યાત્રા તો સાધકે જાતે કરવી જ પડે. કયાં જવું છે તે વિષે જ્ઞાન મેળવી લીધું માર્ગ પણ જોઈ જાણી લીધો પણ જો ચાલ્યાં જ નહિ તો એ જાણકારી - માહિતી બધું વ્યર્થ ગયું. મોક્ષ માર્ગ ઉપર ચાલવું એ ચારિત્ર. પણ ચારિત્રનાં ચઢાણ કપરાં છે તેથી જૈનાચાર્યોએ એવી વ્યવસ્થા ગોઠવી કે શરૂઆતમાં ચઢાવ ઓછો રહે. અને તેનાથી ટેવાતા જઈએ પછી કપરાં ચઢાણ આવે તો વાંધો ન આવે. ચારિત્ર એ બહારની વસ્તુ નથી. ચારિત્ર આપણી અંદર છે જેનો આપણે આવિર્ભાવ કરવાનો છે. આપણાં વ્રતો ચારિત્રનો આવિર્ભાવ કરવા માટે આપણને બહારથી અને અંદરથી બને પ્રકારે તૈયાર કરે છે - તે એનું મહાત્મ છે.
અહિંસા :
અહિંસા એ પ્રથમ વ્રત ગણાયું છે. અહિંસા વિશે જૈન ધર્મ સૂક્ષ્મતાથી જે રીતે વિચાર કર્યો છે તે રીતે જગતના કોઈ પણ ધર્મ કર્યો નથી. હિંસામાં પાપ છે અને તે આપણાથી ન થાય એની વાત તો થોડે-વત્તે અંશે સૌ ધર્મોએ કરી છે પણ જૈન ધર્મે અહિંસાની ભાવદશાની જે વાત કરી છે તે વિશિષ્ટ છે. અહિંસાના વ્રતમાં