________________
જૈન આચાર મીમાંસા ધર્મનું એક મોટું રહસ્ય રહેલું છે. જીવ સ્વભાવે તો શુદ્ધ અને બુદ્ધ છે પણ તે કષાયોથી ખરડાયેલો છે. કષાયોને કારણે તે વિભાવોમાં રમે છે. વિભાવો આપાતભદ્ર એટલે શરૂઆતમાં મીઠા લાગે છે. પણ તેનો વિપાક કહુ છે, તેનું પરિણામ વિપરીત હોય છે. જો ખૂબ તાવિક રીતે વાત કરીએ તો કોઈ કર્મ સ્વભાવમાં આવવા માટે જીવને મદદ કરતું નથી. કર્મ માત્ર અવરોધ છે. સ્વભાવમાં આવવા માટે કર્મરહિત થવાનું છે.
જેને આપણે આવશ્યક ક્રિયાઓ કહીએ છીએ તે કર્મરહિત થવા માટેની છે. આત્માના સ્વભાવમાં જ અનંત સુખ છે. પણ તેની પ્રાપ્તિ આપણને નથી થતી. કારણ કે આપણો તે સ્વભાવ પ્રગટ થતો નથી. અનાદિ કાળથી જીવ વિભાવમાં રહ્યો છે અને કર્મના પ્રભાવે – કષાયોને લીધે તે હમેશાં વિભાવમાં જ વહી જાય છે. વિભાવમાં જવું તે જ અતિક્રમણ છે. જીવ અતિક્રમણ કરે છે. માટે તેણે સ્વભાવમાં આવવા પ્રતિક્રમણ કરવું રહ્યું. આ છે પ્રતિક્રમણનો મહિમા. છ આવશ્યકમાં પ્રતિક્રમણ એટલું તો મહત્ત્વનું છે કે ઘણી જગાએ છ આવશ્યક માટે પ્રતિક્રમણ શબ્દ પ્રયોજવામાં આવે છે. બીજી પણ એક રીતે તે યથાર્થ છે. કારણ કે પ્રતિક્રમણની પ્રક્રિયામાં છએ આવશ્યક સમાઈ જાય છે. તેથી આવશ્યકના પર્યાય તરીકે પ્રતિક્રમણ શબ્દ વપરાય છે.
જે છ આવશ્યકનું આયોજન થયું છે એમાં પ્રતિક્રમણ વિશિષ્ટ છે. કારણ કે અધ્યાત્મ જગતમાં બહુ ઓછા ધર્મોએ આ રીતે ‘પાછા ફરવાની વાત કરી છે. સૌ આગળ જવા માગે છે – કોઈ પીછેહઠ કરવા માગતું નથી. જૈનદર્શનની એ આગવી નિપિત્ત છે