________________
જૈન આચાર મીમાંસા
પણ પ્રશ્ન લઈને જો આપણે મનોવૈજ્ઞાનિક પાસે જઈશું તો તે પહેલાં આપણને સમસ્યાનો વિગતવાર ઇતિહાર પૂછતો રહેશે. ક્યારે બન્યું, કેવી રીતે બન્યું ઇત્યાદિ બાબતો વિષે પૂછતાં પૂછતાં ચિકિત્સક આપણને મૂળ આઘાત ક્યારે અને કેવી રીતે લાગ્યો ત્યાં સુધી પાછળ લઈ જશે. આ ક્રિયા મનોરેચનની છે.
આ બધું યાદ કરીને કહેતાં કહેતાં આપણે હળવા થઈ જઈએ છીએ જેને સાહિત્યમાં કેથાર્સિસ'ના નામે ઓળખવામાં આવે છે. મનોચિકિત્સક જે દવાઓ આપે છે તે તો ટેન્શન હળવું કરનાર સામાન્ય પ્રકારની હોય છે; પણ દરદીને તે સીટિંગ આપીને પ્રશ્નો પૂછીને જે બધી વાત તેની પાસેથી કઢાવે છે – બોલાવે છે તે વધારે મહત્ત્વની બની રહે છે. મનોરેચનની ક્રિયાથી દરદી તનાવમુક્ત થઈ જાય છે. આવેગમુક્ત થઈ જાય છે અને અમુક સીટિંગ પછી તે રોગમુક્ત પણ થઈ શકે છે. પ્રતિક્રમણ અને મનોચિકિત્સાની આ પ્રક્રિયા વચ્ચે ઘણું સામ્ય છે. મનોચિકિત્સક તો આપણને અમુક મર્યાદામાં જ મદદ કરી શકે છે. કારણ કે તે આપણને અવચેતન મન સુધીની યાત્રા કરાવી શકે છે અને ત્યાં પડેલા ભયો-ચોરી-હિંસા ઇત્યાદિ લાગણીઓનું પરિમાર્જન કરી શકે છે જ્યારે પ્રતિક્રમણ તો આપણને ઘણે દૂર સુધી લઈ જઈ શકે છે. તે તો અચેતન મનનીય પાર છેક કર્મશરીરમાં-સૂક્ષ્મતમ શરીરમાં પડેલા સંસ્કારોને કે દોષોને ખોતરી કાઢી શકે છે. પ્રતિક્રમણ તો ભવાંતરના સંસ્કારોનું પરિમાર્જન કરી શકે છે. વળી ડૉક્ટરની નિશ્રા કરતાં ગુરુની નિશ્રા વધારે સલામત અને હૂંફ આપનારી હોય છે.
૮૪