________________
૮૫
છે આવશ્યક – આચારસંહિતા
મનોચિકિત્સક રોગનાં લક્ષણો જોઈને મનના ઊંડાણમાં જઈ દોષોને દૂર કરી છેવટે તો શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રયાસ કરે છે. તેનું લક્ષ્ય સ્વસ્થ શરીર છે અને તે માટે તે મનની ચિકિત્સા કરે છે. બીજી બાજુ પ્રતિક્રમણની નેમ ઘણી ઊંચી છે. અને તેનું ફળ ઘણું મોટું છે. પ્રતિક્રમણ આત્માના હિતનો વિચાર કરી ઉપચાર કરે છે. મનોચિકિત્સક ફક્ત અમુક વર્ષો સુધી કે બહુ બહુ તો આજન્મ સહાય કરી શકે, જ્યારે ગુરુની નિશ્રામાં થતું પ્રતિક્રમણ ભવરોગની ચિકિત્સા કરી તેનો ઉપચાર કરી જીવને શાશ્વત સુખ પ્રતિ લઈ જાય છે. જે પ્રતિક્રમણને આપણા સુધરેલા સમાજે આટલું ઉવેખ્યું હતું તે જ પ્રતિક્રમણ હવે પાછલે બારણે વિજ્ઞાનનો હાથ પકડીને આવે છે ત્યારે આપણે તેનું બહુમાન કરીએ છીએ. હવે તો આપણે પ્રતિક્રમણની મહત્તા સમજીને તેને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી લઈ તેનો વિનાવિલંબે સ્વીકાર કરી લઈએ.
કાઉસ્સગ્ન :
જૈન ધર્મ પ્રરૂપિત છ આવશ્યકોમાં કાઉસ્સગ્ગ છેલ્લું આવશ્યક ગણાય છે. આપણે ત્યાં સ્વતંત્ર રીતે કાઉસ્સગ્રની આરાધના ખાસ થતી નથી. પણ તેને ચૈત્યવંદન-પ્રતિક્રમણ ઈત્યાદિ ધર્મક્રિયાઓમાં એવી રીતે વણી લેવામાં આવ્યો છે કે વખતોવખત કાઉસ્સગ્ન કરવાનો આવે. ધર્મના કોઈ પણ અનુષ્ઠાનનો પ્રારંભ બહુધા ઈરિયાવહી પ્રતિક્રમણથી થાય છે. એમાં પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનું વિધાન છે. આપણે ત્યાં