________________
છ આવશ્યક - આચારસંહિતા પરમાત્માનો સ્વાભાવિક અને સહજ અનુગ્રહ થાય અને આત્મામાં પરમાત્મશકિતનું અવતરણ થવા લાગે. કાઉસ્સગ્ન જ આવી ભાવક્રિયા બને તો તે ચૈતન્યનો સાક્ષાત્કાર કરાવી આપનાર અપૂર્વ ક્રિયા બની રહે છે. કાઉસ્સગ્નમાં અધ્યાત્મનાં ઊંડાણ છે. એમાં જે ડૂબકી મારે તેને અમૂલ્ય રત્નત્રયીની પ્રાપ્તિ મળે.
પ્રત્યાખ્યાન :
જૈનધર્મપ્રણિત છે આવશ્યકમાં પચ્ચખાણ કે પ્રત્યાખ્યાન વિશિષ્ટ છે. આમ જોઈએ તો પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા. ખાસ તો સંયમની આરાધના માટે અમુક વસ્તુઓ ન કરવાની પ્રતિજ્ઞા પણ તેને આવશ્યકમાં મૂકવામાં આવે તે વાત જૈન ધર્મની વિશિષ્ટતા છે. ભૂતકાળમાં કે ગત જન્મોમાં કરેલાં દુષ્કૃત્યોનું પ્રતિક્રમણ થઈ શકે. અતીતમાં મન, વચન અને કાયાના વિવિધ યોગો દ્વારા જીવે પોતાના ઉપર ગાઢ સંસ્કારો પાડ્યા હોય, જે કર્મ બાંધ્યાં હોય તેને નિર્જરવા માટે કે તેને હળવાં કરવા માટે પ્રતિકમણ. પણ ભવિષ્યનું શું? એક બાજુ અતીતનાં કર્મોનાં પોટલાં ઉતારતાં જઈએ પણ ભાવિમાં આવાં પોટલાં ફરી બાંધી લેવાનાં હોય તો પછી અતીતનો ભાર ઉતાર્યાનો કંઈ અર્થ ખરો? કોઈ ચાર ડગલાં આગળ જાય અને પાંચ ડગલાં પાછળ ભરે તો તે ક્યારેય પોતાના લક્ષ્ય ઉપર ન પહોંચી શકે. આપણે તો કર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરવાનું અને
અનંત, જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદમાં સ્થાપિત થવાનું લક્ષ્ય રાખ્યું છે. એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે સતત આગળ વધતા જ રહેવાનું છે. પ્રતિક્રમણથી કરેલી સાધના વ્યર્થ ન બની