________________
૯૨
જૈન આચાર મીમાંસા
સંયમ પાલન થાય તો જ તેની મહત્તા.
પ્રત્યાખ્યાન જૈન ધર્મનું વિશિષ્ટ આવશ્યક છે અને તેને વિશે જૈનાચાર્યોએ જે વિચાર કર્યો છે તે ખૂબ સૂક્ષ્મ છે. જૈનેતર સાહિત્યમાં ભીષ્મ પિતામહની વાત આવે છે - જેમનું મૂળનામ દેવવ્રત હતું. તેમના પિતાને મત્સ્યગંધા નામની, માછીમારની એક સ્વરૂપવાન કન્યા માટે અપૂર્વ આકર્ષણ થઈ ગયું હતું. પણ કન્યાનો પિતા વિવાહ માટે જે શરતો આગળ કરતો હતો તેનું પાલન થઈ શકે તેમ ન હતું. આ વાત રા′વી કોઈને કહી શકતા ન હતા અને તેમનું મન મત્સ્યગંધાને ઝંખતું હતું જેથી દિવસે દિવસે તે દૂબળા પડતા જતા હતા. દેવવ્રતને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે પિતાને અજાણમાં રાખીને માછીમાર પાસે જાય છે અને પિતા માટે મત્સ્યગંધાની માંગણી કરે છે. માછીમાર એક જ શરતે વિચાર કરવા તૈયાર છે કે જો મત્સ્યગંધાનો પુત્ર રાજ્યનો ઉત્તરાધિકારી ઠરે. આમ જોઈએ તો જ્યેષ્ઠ પુત્ર હોવાને નાતે રાજ્ય ઉપર પિતા પછી દેવવ્રતનો અધિકાર છે. પિતાના લગ્નનો માર્ગ સાફ કરવા દેવવ્રત રાજ્ય ઉપરથી પોતાના અધિકાર ઉઠાવી લે છે. પણ માછીમારને એટલાથી સંતોષ થતો નથી. તેને શંકા છે કે દેવવ્રત તો રાજ્ય ન માગે પણ પાછળથી તેના વારસો રાજ્ય માગે કે મત્સ્યગંધાના પુત્રો પાસેથી રાજ્ય છીનવી લે તેથી તે આ લગ્ન કરાવવા સંમત થતો નથી. માછીમારની ભીતિ દૂર કરવા અને પિતાના વિવાહને શક્ય બનાવવા દેવવ્રત પ્રતિજ્ઞા લે છે કે તે આજીવન બ્રહ્મચારી રહેશે અને લગ્ન નહીં કરે જેથી તેમની સંતતિનો પ્રશ્ન જ ન રહે અને મત્સ્યગંધાના પુત્રો જ
-