________________
૯૪
જૈન આચાર મીમાંસા પાપકર્મમાં આપણી ભાગીદારી ગણાય અને પાપનો એક વિશિષ્ટ પ્રકારનો બંધ સતત આપણા ઉપર પડ્યા જ કરે. જેમ વ્યવહારમાં પેઢીનો ભાગીદારી પેઢી ઉપર આવતો ન હોય, તેનું કામકાજ સંભાળતો પણ ન હોય છતાંય પેઢીના નફાનુકસાનમાં તે ભાગીદાર ગણાય તેમ પાપનો એક વિશિષ્ટ પ્રકારનો બંધ સતત આપણા ઉપર પડ્યા જ કરે. જેમ વ્યવહારમાં પેઢીનો ભાગીદારી પેઢી ઉપર આવતો ન હોય, તેનું કામકાજ સંભાળતો પણ ન હોય છતાંય પેઢીના નફાનુકસાનમાં તે ભાગીદાર ગણાય, અને પેઢી ખોટમાં જાય તો તેની મિલકત પણ લેણદાર ટાંચમાં લઈ શકે એના જેવી આ વાત છે. તેથી જૈનમુનિઓ આ જીવનનો ત્યાગનાં પચ્ચખાણ કરે છે. કોઈ કહે કે હું માંસ-મંદિરા લેતો જ નથી. માટે મારે પચ્ચખાણ લેવાની જરૂર નથી તો તે વાત જૈન ધર્મની આરાધનામાં સ્વીકાર્ય નથી બનતી. જ્યાં સુધી પચ્ચકખાણ લીધાં ન હોય ત્યાં સુધી જે તે બાબતોમાં અને જે તે ક્ષેત્રોના પાપમાં આપણે ભાગીદાર ગણાઈએ અને તેનો કર્મબંધ આપણા ઉપર પડ્યા જ કરે. કારણ કે આપણા અચેતન મનમાં તે વસ્તુના ભોગની કે ઉપભોગની ઇચ્છા પડેલી છે જેને આપણે પચ્ચકખાણની પાળ બાંધી નિયંત્રણમાં લીધી નથી. તેથી જૈન ધર્મ કહે છે કે જે કરતા જ નથી તેનાં પચ્ચખાણ તો વિના વિલંબે લઈ લો અને એટલા કર્મબંધમાંથી તો બચી જાવ. આ માટે જીવે કંઈ વિશિષ્ટ પ્રયાસ કરવાનો રહેતો નથી. તેને જરૂર રહે છે ફક્ત વિચારોની સ્પષ્ટતાની અને યોગ્ય નિર્ણયની. જૈન ધર્મપ્રણિત જે બાર વ્રતો છે તેમાં દિશાના પરિભ્રમણનાં પણ પચ્ચખાણ લેવાય