________________
છ આવશ્યક આચારસંહિતા
કર્યો હોય તો પચ્ચક્ખાણની પાળ મજબૂત ન રહે. સાધકે પચ્ચક્ખાણ લેતાં પહેલાં આગારની વાત વિચારવી ન જોઈએ. કવચિત્ સંજોગોવશાત્ આગારોનું સેવન થયું કે કરવું પડ્યું તો શ્રાવક કે સાધક ગુરુ પાસે જઈ તેનું પ્રાયશ્ચિત્ત માગે. પ્રાયશ્ચિત્ત કરવાથી – લેવાથી એ વાતનો નિર્ધાર થઈ જાય છે કે જે કંઈ થયું છે તે ખોટું થયું છે અને હવે તો તે નહીં જ થાય. અપવાદોના સેવનનું જે પ્રાયશ્ચિત્ત નથી લેતો – તેને વિશે પસ્તાવો કરતો નથી તે ભવિષ્યમાં
-
૯૧
અપવાદોનું સેવન કરતો જ રહેવાનો અને છેવટે તેનાં પચ્ચક્ખાણ લીધાં છતાંય, ન લીધા જેવાં થઈ જવાનાં અને ફરીથી તે અવિરતિ-અસંયમના વિષચક્રમાં ફસાઈ જવાનો અને તેનું બધું કર્યું - કારવ્યું ધૂળમાં મળી જવાનું.
આમ જોઈએ તો પચ્ચક્ખાણમાં ત્યાગની કે સંયમની વાત છે. ત્યાગ વસ્તુથી થાય અને ભાવથી પણ થાય. પચ્ચક્ખાણમાં ત્યાગ દ્રવ્યથી અને ભાવથી બંને રીતે થવો જોઈએ. વસ્તુ છોડી અને ભાવ હૈયોમાં બેઠેલો રહ્યો તો વાસ્તવિકતામાં વસ્તુ છૂટી જ નથી. અન્ન, વસ્ત્ર ઇત્યાદિ બાહ્ય વસ્તુઓનો ત્યાગ એક વાત છે પણ પચ્ચક્ખાણનું અંતિમ લક્ષ્ય તો અજ્ઞાન, અસંયમ જેવા આત્માનાં વૈભાવિક પરિણામોનો ત્યાગ કરવાનું છે. દ્રવ્યત્યાગ મૂળ તો ભાવત્યાગમાં જવા માટે છે. વિભાવોના ત્યાગ વિના, તેના સંયમ વિના આત્માના ગુણોની પ્રાપ્તિ થતી નથી. આત્માની સંપદાનો આવિર્ભાવ કરવા માટે વિભાવોનો ત્યાગ સંયમ આવશ્યક છે. વળી આ ત્યાગ પણ શ્રદ્ધાપૂર્વક, સમજણપૂર્વક થવો જોઈએ. જેનો ત્યાગ કર્યો હોય તેનું અનુપાલન થવું જોઈએ. આદર સહિત
-