________________
જૈન આચાર મીમાંસા છે તે વાત જલદીથી સમજાઈ જાય છે.
વંદન વિના ગુરુની વાણી વાસ્તવિકતામાં અંદર સુધી પહોંચતી નથી. શબ્દ સંભળાય પણ તેની પાછળ રહેલ ઇંગિત - મર્મ શ્રોતા ચૂકી જાય. ભગવાન મહાવીરે કહ્યું છે કે 'ઇંગિયારસમ્પન્નો” એટલે કે ઇંગિત અને આકારના ગ્રહણમાં સંપન્ન બનો. મર્મને સમજો. વિજ્ઞાન હવે તો એ વાતનું સમર્થન કરે છે કે જ્યાં સુધી માણસ બહારથી અને અંદરથી નમતો નથી ત્યાં સુધી સામાની વાત તેની અંદર પહોંચતી નથી. વાતનો મર્મ પામવા પણ વંદન કરવાનું આવશ્યક છે. અરે, જેની સાથે આપણે અસંમત છીએ, જેનો આપણને વિરોધ છે તેની વાતને પણ જો સમજવી હોય તો આપણે એક વખત આપણા અહંકારને વચ્ચેથી હટાવવો જોઈએ, જેથી તેની વાણીનો મર્મ પકડાય. આમ જોઈએ તો મંડન અને ખંડન બંને માટે પણ વંદન – વિનય આવશ્યક બની રહે છે.
ગુરુવંદનમાં શ્રાવક કે શ્રમણ, ગુરુના અવગ્રહમાં એટલે સાડા ત્રણ હાથ અંતરમાં આવવાની સંમતિ માગે છે. પછી ગુરના ચરણને સ્પર્શવાની, તેમના અંગને પોતાના લલાટે લગાડવાની અનુમતિ માગે છે અને પછી તે, તે રીતે વંદન કરે છે. આ વાત ખૂબ સૂચક છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક રહસ્ય રહેલું છે. ગુરુના શરીરમાંથી પણ તેમની તદ્દાકાર રશ્મિઓ નીકળતી હોય છે. જે ગુરુના જ્ઞાન અને સંયમથી ભાવિત હોય છે. ગુરુના સ્પર્શથી એ રશ્મિઓનું - કિરણોનું શિષ્યમાં – વંદન કરનારમાં તત્કાળ સંક્રમણ થાય છે. આમ ગુરુવંદનની આખી પ્રક્રિયા ‘અહીના વિસર્જનની પ્રક્રિયા છે અને ગુરુકૃપાના અવતરણની. ગુરુવંદનનું આવું મહત્ત્વ