________________
છ આવશ્યક - આચારસંહિતા
શીતળ અને ગુણે સુગંધિત છે. પણ શરીરને સુખડના કાષ્ટનો સ્પર્શ થાય એટલે તે ન તો શીતળ લાગે કે ન તેમાંથી એવી સુગંધ આવે. સુખડનો લાભ મેળવવા આપણે તેને ઓરશિયા ઉપર ઘસવું પડે. સુખડ ઘસાય પછી તેમાંથી ચંદનની નિષ્પત્તિ થાય ત્યારે જ તેમાંથી સુગંધ બહાર આવે અને તેની શીતળતા પણ ઉપલબ્ધ થાય. આવશ્યક ક્રિયાઓ સુખડ જેવી છે, જે વારંવાર કરવાની હોય છે; તે પ્રાસંગિક ક્રિયાઓ નથી. “આવશ્યક’ રોજ કરવાની ધર્મમાં આજ્ઞા છે. એટલું જ નહીં, પણ બને તો રોજ વખતોવખત આ ક્રિયાઓનું પરિશીલન કરવાનો આદેશ અને ઉપદેશ છે, જેથી તે ક્રિયાઓ જીવને ઉપકારક નીવડે.
આ વાતની પાછળ મનુષ્યના સ્વભાવનું પણ સચોટ નિરીક્ષણ થયેલું દેખાય છે. મનુષ્યનો સ્વભાવ ભોગપ્રિય છે. ભોગ એ ઢાળવાળી નીક છે. જેમાં વહેવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. જ્યારે આવશ્યક એ ચઢાણવાળો માર્ગ છે. તે માટે આયાસની અપેક્ષા રહે છે. જીવનો સ્વભાવ નીચે ભોગ તરફ વહી જવાનો છે. તેને વારંવાર સંભાળીને ઉપરની બાજુ વાળવાનો છે. તેમાં દિશા-પરિવર્તન તો છે જ પણ સાથે સાથે બળની-આત્મબળની પણ જરૂર રહે છે. આપણે જાણીએ છીએ કે જે પાણી ઉપર ચઢાવવાં હોય તેને પ્રથમ બંધની આડશે રોકવાં પડે અને બંધમાં ક્યાંય છિદ્ર ન રહેવા પામે તેનો ખ્યાલ પણ રાખવો પડે. તેથી સાધકે સંયમની પાળ હમેશાં દઢ કરતા રહેવાની છે. તેમાં ક્યાંય છિદ્ર ન પડે તે માટે જાગ્રત રહેવાનું છે.
આપણાં આવશ્યકને અત્યારનાં વિદ્યુત જનરેટર સાથે પણ