________________
જૈન આચાર મીમાંસા
પ્રથમ શરત છે સમતા. જ્યાં સુધી કોઈ પરિસ્થિતિ કે પણ વસ્તુ આપણને ચલાયમાન કરી શકે ત્યાં સુધી સામાયિકમાં પ્રવેશ ન થઈ શકે. વાસ્તવિકતામાં અસ્થિરતા, વિહ્વળતા,વિચલિતતા ઇત્યાદિ આપણને કોઠે પડી ગયાં છે. જીવનમાં સમતાનો સ્વાદ આપણે બહુ ઓછો લઈએ છીએ. આપણે સમતાની વાતો તો ઘણી કરીએ છીએ પણ તેની પ્રાપ્તિ આપણાથી કેટલીય દૂર રહે છે. જો એક વાર આપણને સમતાના સુખની ઝાંખી થઈ જાય તો પછી તે જીવનભર ન વીસરી શકાય. ત્યાર પછી આપણા જીવનની દિશા બદલાઈ જાય.
૪૪
-
સામાયિકમાં શ્રાવક અમુક સમય માટે સાવઘ યોગ એટલે હિંસા થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લે છે. સાધુ દીક્ષા લે ત્યારે તો તેને હિંસા થાય તેવી પ્રવૃત્તિથી જીવનભર દૂર રહેવાની પ્રતિજ્ઞા આપવામાં આવે છે. ત્યાર પછી જ સામાયિકમાં પ્રવેશ થાય છે. આ વાત ખૂબ સૂક્ષ્મ છે. એમાં ફક્ત કોઈ જીવની દેખીતી હિંસાની વાત નથી. પણ તેથીય ઘણી મોટી વાત રહેલી છે. આ બાબત આચાર્ય મલયગિરિના મત પ્રમાણે તો જે જે પ્રવૃત્તિના મૂળમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે પડેલાં હોય તે બધી પ્રવૃત્તિઓ સાવદ્ય છે, હિંસાત્મક છે. આ રીતે જોઈએ તો સામાયિકમાં કોઈ જીવની હિંસા તો ન જ થાય તેની કાળજી રાખવામાં આવે પણ સાથે સાથે ક્યાંય કષાય પણ ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો પડે; કારણ કે કષાયથી અન્યની હિંસા તો થતાં થાય પણ કષાય થતાં પોતાના આત્માની તો હિંસા થાય જ છે. આવી કષાયવિહીન અવસ્થા તો જ્યારે સમતા રહેતી હોય ત્યારે જ આવી