________________
- જૈન આચાર મીમાંસા તેની અલ્પતાનો આપણે – સાધકે આગ્રહ રાખવાનો છે અને તે માટે પ્રયાસ કરવાનો છે. આ યોગોની અલ્પતા અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. તેથી તો જૈન ધર્મ છ આવશ્યકનું જે આયોજન કર્યું તેમાં સામાયિકને પ્રથમ સ્થાને મૂક્યું. સામાયિક પારતી વખતે - પૂર્ણ કરતી વખતે વધારે ને વધારે સામાયિકો કરવાની ભલામણ કરતાં કહેવામાં આવે છે. .
શ્રાવક જેમ જેમ વધારે ને વધારે સામાયિક કરતો જાય તેમ તેમ તે સાધુની કક્ષામાં આવતો જાય છે. જૈન મુનિ માટે તો જીવનભર સામાયિકમાં જ રહેવાનું હોય છે. તેથી તેમણે સાવદ્ય-હિંસા થાય એવી પ્રવૃત્તિથી દૂર તો રહેવાનું જ હોય પણ મન-વચન અને કાયાના યોગોની અલ્પતા સાધવાની હોય છે. તેથી તો જૈન સાધુએ મન, વચન અને કાયાની એમ ત્રણ ગુપ્તિ કરવાની હોય છે અને નાનામાં નાના જીવની પણ હિંસા ન થઈ જાય તે માટે નાનામોટા વ્યવહારમાં જયણા રાખી પાંચ સમિતિ સાચવવાની હોય છે. સામાયકની જે સાધના સાધુ માટે જીવનભરની છે તે શ્રાવક માટે ઓછામાં ઓછી દિવસમાં બે ઘડી એટલે અડતાળીસ મિનિટની તો આવશ્યક ગણવામાં આવે છે અને છતાંય બને એટલાં વધારો સામાયિક કરવાની ભલામણ કરવામાં આવે છે.
જે સામાયિકના આટલાં ગુણ-ગાન થાય છે, આટલી મહત્તા અંકાય છે અને જૈન ધર્મના પર્યાય તરીકે જેને ગણવામાં આવે છે તે સામાયિક છેવટે શું છે? સામાયિક શબ્દને મૂળ સંબંધ છે ‘સમય’ શબ્દ સાથે. ભગવાન મહાવીરે સમય શબ્દ આત્મા માટે પ્રયોજ્યો છે. સામાયિક એટલે સમયમાં હોવું. આમ તેનો ખરો