________________
છ આવશ્યક આચારસંહિતા
શકે, જેમ ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં હોય અને દાંડી ઉપર કે નીચે કોઈ બાજુ ઝૂકે નહીં તેમ! આપણી પ્રવૃત્તિમાં કયાંય વિકૃતિ ન હોય, કયાંય રાગ-દ્વેષની પરિણતિ ન હોય ત્યારે સમતા સધાય અને સામાયિકમાં પ્રવેશ થાય. સામાયિકમાં દરેક જીવ પ્રત્યે સમભાવ તો હોય જ પણ પ્રત્યેક પરિસ્થિતિમાં પણ સમતા બની રહેવી જોઈએ. લાભ-નુકસાન, સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, નિંદા-પ્રશંસા, માન-અપમાન આ બધાં દ્વંદ્દોથી સામાયિકનો સાધક પર હોય. કોઈ પણ સારી-માઠી પરિસ્થિતિની સામાયિકના સાધક ઉપર અસર ન થાય અને તેનાથી તે વિચલિત ન થાય.
-
-
૪૫
છે
આમ સામાયિક સરળ વાત નથી. તે તો સાધનાની ચરમ વાત અંતિમ વાત છે. આવી વાત એક દિવસમાં ન સધાય, તે માટે લાંબો અભ્યાસ કરવો પડે અને તેથી તો શ્રાવકની દિનચર્યામાં સામાયિક અવશ્ય હોય અને તેણે એક કે વધારે સામાયિકો દિવસમાં લેવાની ભલામણ થાય છે. સાધુએ તો નિત્ય હંમેશાં સામાયિકમાં જ રહેવાનું છે.
જગત સાથે અને જીવન સાથેના આપણા સંબંધો ત્રણ યોગોને આશ્રયે થયેલા હોય છે. · મનનો યોગ, વચનનો યોગ અને કાયાનો યોગ. એક રીતે જોઈએ તો કાયાનો યોગ મૂળભૂત યોગ છે. કાંયા જ ન હોય તો વચન કે મનનો યોગ સંભવી ન શકે. પણ સમજણ માટે અને સાધનાની સરળતા માટે આ ત્રણેય યોગોની પાડીને ચર્ચા કરવામાં આવે છે. બાકી કાય યોગની અંદર જ બીજા બે યોગો સમાઈ જાય છે. સામાયિકમાં સાધકે આ ત્રણેય યોગોની ઉપર ઊઠવાનું છે. પણ વાસ્તવિકતામાં તે શક્ય નથી તેથી
જુદા