________________
જૈન આચાર મીમાંસા દ્વાર ઊઘડતાં જાય છે. મોક્ષમાર્ગમાં નામસ્મરણ જેવું બીજું એકેય સરળ સાધન સુલભ નથી. વળી એમાંય જ્યારે નામી - જેનું નામસ્મરણ થતું હોય તે ઇષ્ટદેવ - સાથે તદ્રુપતા સધાય છે ત્યારે તે અનર્ગળ કર્મનિર્જરાનું કારણ બને છે - જે આલોક અને પરલોક બંનેને સુધારે છે.
લોગસ્સ સૂત્રનો અર્વાધિકાર સગુણોનું કીર્તન છે. જીવ સામાન્ય રીતે જન્મોજન્મની કર્મોની સતત નિર્જરા તો કરતો જ હોય છે. પણ તે અકામ નિર્જરા હોય છે. કર્મને વિપાકથી ભોગવીને નિર્જરા કરે છે. તેથી તેને ગુણપ્રાપ્તિ થતી નથી. જ્યારે જીવ અરિહંત પરમાત્માઓના ગુણોનું ચિંતન કરે છે. તેમનો ગુણાનુરાગ ભાવે છે ત્યારે તે સકામ નિર્ભર કરે છે. અને તેનાથી તેને પરમાત્મભાવના ગુણોની પ્રાપ્તિ થાય છે. આમ નામસ્મરણ આત્માની ઉન્નતિનું પ્રથમ સોપાન છે. ગુણપ્રશંસા સ્વયમેવ આવે ત્યારે તે આત્માના ઉત્કર્ષનું કારણ બને છે. અરિહંતોના ગુણની પ્રશંસા, તેમના ગુણો પ્રત્યેનું બહુમાન જીવના દર્શનને પણ વિશુદ્ધ કરે છે. જૈન ધર્મ પ્રરૂપિત મોક્ષ માર્ગમાં સમન્ દર્શન વિના ડગલું પણ ભરી શકાતું નથી. તેથી દર્શનની વિશુદ્ધિ કરાવી આપનાર ચતુર્વિશતિ સ્તવ આત્મા ઉપર અનંત ઉપકારોનું કારણ બને છે. આમ અરિહંતોના - પરમાત્માના નામસ્મરણથી જીવ ઉત્તરોત્તર વિશુદ્ધતાને પ્રાપ્ત કરે છે અને ભવાંતરમાં પણ તેને બોધિની પ્રાપ્તિ
સુલભ બની રહે છે. અરિહંત ભગવંતો સંસારના તમામ જીવોનું હિત ઇચ્છે છે. અને સૌને માટે આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે ૧ "ના ગુણોનું કીર્તન તેમના ગુણોના અનુરાગસમ છે.