________________
૬૬
જૈન આચાર મીમાંસા
લોગસ્સ સૂત્રનું સ્વરૂપ :
જે લોગસ્સ સૂત્રનો આટલો મહિમા છે તેના સ્વરૂપનો વિચાર કરીએ. તેની પહેલી ગાથામાં અતિશયોથી યુક્ત ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાનો નિર્ધાર કરવામાં આવે છે. બીજી ત્રણ ગાથામાં તીર્થંકરોનાં નામનું વર્ણન છે. આ ત્રણ ગાથાઓ તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ ઘણી મહત્ત્વની છે. કારણ કે તેમાં પરમાત્માના નામોચ્ચાર સાથે યથાયોગ્ય બિંદુઓના ઉચ્ચારણનું સંયોજન ગોઠવવામાં આવ્યું છે. જેથી તે સર્વ કામનાઓની પૂર્તિ કરનાર નીવડે છે. લોગસ્સ એ શ્રુતકેવળી ચૌદ પૂર્વધર ગણધર ભગવંતોની રચના હોવાથી એમાં મંત્ર, તંત્ર, વિદ્યા અને સિદ્ધિઓ રહેલી છે. આ ત્રણ ગાથાઓ તેની મંત્રમયતાને કારણે પ્રસિદ્ધ છે. છેલ્લી ત્રણ ગાથાઓ લોગસ્સ સૂત્રની ચૂલિકા રૂપ છે – એટલે કે આશય સાથે અનુસંધાન કરાવી આપનાર, તે માટે પ્રવૃત્તિ કરાયાનું સમર્થન કરનાર અને છેલ્લે ઇષ્ટ ફળની પ્રાપ્તિનો નિશ્ચય જાહેર કરનાર છે. લોગસ્સ સૂત્રની પાંચમી, છઠ્ઠી, અને સાતમી ગાથાઓને પ્રણિધાન ગાથાત્રિક કહેવામાં આવે છે. હૃદયગત પ્રશસ્ત ભાવનાઓ આ ત્રણ ગાથાઓમાં ભક્તિપર્વક પ્રદર્શિત કરવામાં આવી છે. વીતરાગના ગુણોમાં અર્પિત થયેલ હૃદયગત ભાવોને પ્રગટ કરવા માટે પાંચમી ગાથામાં અભિથુઆ શબ્દ દ્વારા જિનવરોનું સંનિધાન કરવામાં આવ્યું છે. એમાં દર્શાવવામાં આવે છે કે મેં નામ દ્વારા ભગવાનનું કીર્તન કર્યું. મન-વચન અને કાયાના યોગો દ્વારા વંદન કર્યું છે અને અંતે પરમાત્માઓ પ્રસન્ન થાઓ એવી સ્તુતિ કરવામાં આવી છે. જ્યારે સૂત્રની છઠ્ઠી ગાથામાં સ્તુતિના ફળસ્વરૂપ દ્રવ્ય