________________
છ આવશ્યક આચારસંહિતા
-
પ્રાપ્તિનો, તેમના ગુણોની પ્રાપ્તિનો કાળે કરીને અવશ્ય લાભ થાય છે. તીર્થંકરનું સ્વરૂપ એટલે કર્મરહિત અવસ્થા - મોક્ષ. તીર્થંકરો ધર્મતીર્થના પ્રણેતા છે. એક રીતે તીર્થનો અર્થ ઘાટ પણ થાય છે. જ્યાં શાંતિ પ્રાપ્ત થાય, અભય મળે અને યાત્રાનો અંત આવે તે ઘાટ. ભવભ્રમણની જીવની યાત્રાનો અંત તીર્થંકરોએ પ્રરૂપેલા ધર્મથી આવે છે. ઘાટ ઉપર નૌકા આવી જાય પછી યાત્રિકને શાંતિનો અહેસાસ થાય છે. તેમ તીર્થંકરોના નામસ્મરણથી જીવનો ભવભ્રમણનો થાક દૂર થાય છે, કષાયોની પીડા શમી જાય છે અને કર્મનો મળ કલુષિત કર્મનો જથ્થો ઓછો થવાથી જીવ એક પ્રકારની હળવાશનો અનુભવ કરે છે. એક રીતે દર્શન-જ્ઞાન અને ચારિત્ર પણ તીર્થ કહેવાય છે. આ રત્નત્રયીને અર્થથી પ્રરૂપનારા તીર્થંકરો છે. તેઓ કૃતકૃત્ય છે. તેથી તેમનો પ્રભાવ અચિંત્ય છે. સંસાર પાર ઊતરવા માટે તીર્થંકરોનું આસેવન પ્રબળ અને પુષ્ટ આલંબન છે.
-
-
૬૩
તીર્થંકરોનું આસેવન એટલે તેમના મંગળ નામનો જાપ, તેમના પવિત્ર રૂપનું દર્શન, તેમના ચારિત્રનું શ્રવણ અને તેમના ઉપદેશનું પાલન. જેટલો પ્રભાવ તીર્થંકરોનો એટલો પ્રભાવ તેમના નામનો, તેમના રૂપનો, તેમના ચારિત્રનો અને તેમના ઉપદેશનો. તીર્થંકરો મંગળ છે અને લોકમાં ઉત્તમ છે. તો તેમનું નામ પણ મંગળ છે અને ઉત્તમ છે. તેમનું નામ શરણભૂત છે. તેમના નામસ્મરણમાં તેમના ગુણોનું કીર્તન સમાવિષ્ટ છે. પરિણામે કષાયોનું નિવારણ થાય છે; મંગળ અને કલ્યાણની પરંપરા આવી મળે છે. નામસ્મરણથી દુર્ગતિનાં દ્વાર બંધ થાય છે અને જીવની સદ્ગતિનાં