________________
છ આવશ્યક - આચારસંહિતા
૪૯ નથી. સામાયિકમાં હોવાનું છે. સમયમાં સ્થિત થવું એ સામાયિક. થોડો પણ એવો કાળ કે સમય જ્યાં કંઈ કરવાનું નથી. ત્યાં મનવચન અને કાયાના બધા યોગો રોકાઈ જાય છે, ત્યાં ફક્ત હોવાનું છે. એ છે અસ્તિત્વનો આવિષ્કાર. એ છે આત્માની અનુભૂતિ. પ્રતિક્રમણ સાધનાનું પ્રથમ પહેલું ચરણ છે તો સામાયિક સાધનાનું અંતિમ ચરણ છે. પ્રતિક્રમણમાં ચેતનાને પાછી વાળવાની છે - અંદર લઈ જવાની છે. જ્યારે સામાયિકમાં ચેતનાને રોકવાની છે – સમયમાં અવસ્થિત કરવાની છે. તેથી સામાયિક એ કોઈ ખોજ નથી, કોઈ ક્રિયા નથી પણ તે ઉપલબ્ધિ છે. સામાયિકમાં સ્થિત થતાં વીતરાગતા સ્થિર થઈ જાય ત્યાં પ્રજ્ઞા, વિવેક, બુદ્ધિ બધું સ્થિર થઈ જાય. ત્યાર પછી નિદ્રા-પ્રમાદ-મૂચ્છ કંઈ રહેતું નથી. બસ, આત્માની જ્યોતિ સ્થિર થઈ જાય; નિષ્કપ થઈ જાય - નિસ્તરંગ થઈ જાય. આમ સામાયિક એક અનુભૂતિ છે - ઉપલબ્ધિ છે. તેથી જ તો શ્રેણિક મહારાજ પૂણિયાનું સામાયિક ખરીદી શકતા નથી..
શુદ્ધ સામાયિકમાં ચિંતનને અવકાશ નથી. ચિંતન એ પણ એક પ્રકારની ચંચળતા છે, અશાંતિ છે, અસ્વસ્થતા છે. શુદ્ધ સામાયિકમાં તો નામસ્મરણ કે મંત્રનું રટણ પણ ન હોય. તેમાં ઇતર વાંચન તો ન હોય પણ શાસ્ત્રોનું વાંચન કે શ્રવણ પણ ન હોય. મન, વચન અને કાયાના બધા યોગોની પારની અવસ્થા એ સામાયિક છે. એમાં અસ્તિત્વની અનુભૂતિ રહે. સ્વાભાવિક રીતે જ એમાં અનંત ચતુષ્ટયીનો - આત્માના ગુણોનો આવિભાવે હોય. સ્વભાવમાં રમણતા રહે. તેથી તો સામાયિક પરમ શાંતિ છે, પરમ